Neha Singh Rathore New Song: ‘બિહાર મેં કા બા’ ગીતથી લોકપ્રિયતા મેળવનાર લોક ગાયિકા નેહા સિંહ રાઠોડે હવે પોતાના નવા ગીતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે.
Advertisement
Advertisement
નેહા સિંહ રાઠોડ બિહારની પ્રખ્યાત લોક ગાયિકા છે. હવે તેનું નવું ભોજપુરી ગીત ગુજરાત મેં કા બા? બહાર પાડવામાં આવ્યું છે. આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ ગીતના બોલ છે, “લોગ મરત બા ડબ-ડબ કે, સાહેબ કે સભવા જરી બા, ગલતી સબ મરનેવાલો કી ઈ પ્રોપેગેન્ડા ભારી બા, કા બા?
નેહાનું આ નવું ગીત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. નેહાએ તેની યુટ્યુબ ચેનલ અને ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વાત શેર કરી છે. આના પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ અને રિએક્શન આપી રહ્યા છે.
સામાજિક મુદ્દાઓ અને રાજકારણ પર ટોણો: આ સાથે નેહા સિંહ રાઠોડે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “લોકો ડૂબી-ડૂબીને મરી ગયા પરંતુ સાહેબની બધી સભાઓ ચાલું છે અને મરનારાઓની જ બધી ભૂલ હતી તેનો પ્રચાર ચારેતરફ કરવામાં આવી રહ્યો છે?” બિહારના લોકપ્રિય તહેવાર છઠના અવસર પર નેહા સિંહ રાઠોડે ઘણા લોકપ્રિય ગીતો ગાયા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા. નેહા સિંહ તેના વ્યંગાત્મક ગીતો માટે જાણીતી છે. તે અવારનવાર સામાજિક મુદ્દાઓ અને રાજનીતિ પર ટોણો મારતી રહે છે. નેહા સિંહ રાઠોડનું નવું ગીત ગુજરાતની ચૂંટણી વિશે છે.
गुजरात में का बा?
Youtube link: https://t.co/kNauDp0PqK#NehaSinghRathore #MorbiBridgeCollapse #Gujrat #election #bhojpuri #broken #Machchhuriver #MorbiBridge #MorbiScam #MorbiBridgeTragedy #Morbi pic.twitter.com/HGDQDyQx9D— Neha Singh Rathore (@nehafolksinger) November 4, 2022
મોરબીમાં પુલ ધરાશાયી થવાથી 135 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોનો આબાદ બચાવ થયો છે. શુક્રવારે મોરબીના અકસ્માતમાં પ્રથમ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત બાદ પોલીસે 9 લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટે નવ લોકોમાંથી ચારને 5 નવેમ્બર, 2022 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે, જ્યારે બાકીના 5 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
Advertisement