કોચ્ચિ: ફૂડ પોઇઝનિંગના શંકાસ્પદ કેસમાં સ્થાનિક હોટલમાંથી મંગાવવામાં આવેલી વિવિધ પ્રકારની બિરયાની ‘કુઝિમંથી’ ખાદ્યા બાદ 20 વર્ષીય યુવતીનું મોત થયુ છે. પોલીસે જણાવ્યુ કે પેરૂમ્બલાની રહેવાસી અંજુ શ્રીપાર્વતીએ કુઝિમંથીનું સેવન કર્યુ હતુ જે તેને 31 ડિસેમ્બરે કાસરગૌડમાં રોમાંસિયા નામની એક રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન મંગાવ્યુ હતુ અને તે બાદ તેની સારવાર ચાલતી હતી.
Advertisement
Advertisement
પોલીસે કહ્યુ કે, “છોકરીના માતા-પિતાએ આ મામલે ફરિયાદ કરી હતી જે બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.” તેમણે કહ્યુ કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. યુવતીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને તેને વધુ સારવાર માટે કર્ણાટકના મેંગલુરૂમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી જ્યા તેનું મોત થયુ હતુ.
રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જોર્જે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જોર્જે પથનમથિટ્ટામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે ફૂડ સેફ્ટી કમિશનરને ઘટના અંગે રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે, તેમણે કહ્યુ કે ફૂડ પોઇઝનિંગનો આરોપ ધરાવતી હોટલ્સનું લાઇસન્સ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSA) હેઠળ રદ કરવામાં આવશે.
Advertisement