શ્રીનગર: કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે તે આગામી 10 દિવસમાં નવી પાર્ટીની જાહેરાત કરશે. છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મૂ કાશ્મીરમાં કેટલીક વિનાશકારી ઘટનાઓ બની છે, ભારતીય ઇતિહાસની જેમ કાશ્મીરને પણ આક્રમણકારીઓએ નષ્ટ કરી નાખ્યુ હતુ.
Advertisement
Advertisement
ગુલામ નબી આઝાદે કહ્યુ કે 800 વર્ષ સુધી મુગલોએ શાસન કર્યુ અને 300 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યુ પરંતુ જમ્મુ કાશ્મીરમાં હજારો શાસક અને આક્રમણકારી રહ્યા છે. તમામે જમ્મુ કાશ્મીરને લૂંટ્યુ છે અને આઝાદી પછી આ આંતરિક રાજનીતિનો શિકાર બની ગયુ છે.
જમ્મુ કાશ્મીરના લોકોને ન્યાય મળતો નથી
મહત્વપૂર્ણ છે કે ગુલામ નબી આઝાદ ત્રણ દિવસ સુધી 300થી વધુ પ્રતિનિધિમંડળને મળી ચુક્યા છે. શનિવારની સવારે તે ડોડા પહોચ્યા તો તેમના સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યુ હતુ. ડોડામાં તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે જમ્મૂના લોકોના હક માટે તે અવાજ ઉઠાવશે, તેમણે કહ્યુ કે જમ્મૂ કાશ્મીરના લોકો સાથે જે દૂર્વ્યવહાર થઇ રહ્યો છે તેના વિરૂદ્ધ અવાજ બુલંદ કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવીશુ
શુક્રવારે કિશ્તવાડમાં રેલી દરમિયાન ગુલામ નબી આઝાદે પોતાની નવી પાર્ટીનો એજન્ડા તમામ લોકો સામે મુક્યો હતો, તેમણે કહ્યુ કે તે એક નવી પાર્ટી બનાવવા જઇ રહ્યા છે અને જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જઇને લોકોના વિચાર જાણી રહ્યો છું અને લોકોની સમસ્યાને સાંભળી રહ્યો છું.
ગુલામ નબી આઝાદે કહ્યુ કે પાર્ટીનું નામ જનતા સાથે ચર્ચા કરીને રાખવામાં આવશે, તેમણે કહ્યુ કે નવી પાર્ટીના એજન્ડાને લઇને સ્થિતિ સ્પષ્ટ છે જેમાં જમ્મૂ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવો અને સ્થાનિક લોકોની નોકરી અને ભૂમિના અધિકારને સુરક્ષિત રાખવાનો છે.
Advertisement