ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર કોર્ટે દોષિત જાહેર કર્યા છે. કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ છે. બપોરે 3 વાગ્યે કોર્ટ ચુકાદો આપી શકે છે. આસારામ સિવાયના આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. સુરતની 2 યુવતીઓએ આસારામ સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સામે ચુકાદાને પગલે ગાંધીનગર કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
ગાંધીનગર સેશન્સ કોર્ટ આવતીકાલ સવારે 11 વાગ્યે આસારામ સામે સજાનું એલાન કરી શકે છે. આસારામ જોધપુરની જેલમાં બંધ છે અને ત્યાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા. 2001માં થયેલ દુષ્કર્મ બાદ 2013માં ગુનો નોંધવામાં આવ્યો હતો. જોધપુર કેસની ઘટના બાદ પીડિતાએ હિમ્મત બતાવીને ફરિયાદ નોંધાવી હતી. 6 ઓક્ટોબર 2013માં ફરિયાદ નોંધવામાં આવી હતી. આસારામ સિવાયના 6 આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
આસારામ અને નારાયણ સાઇ સામે નોંધાઇ હતી ફરિયાદ
સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા રેપનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 2013માં સુરતની બે બહેનો પૈકી નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઇ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે જ્યારે નારાયણ સાંઇ સામેનો કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો છે.
આસારામ કઇ કલમ હેઠળ દોષિત?
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376 (2), C, 377, 354, 342, 357, 506 (2) કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશ્યલ સરકારી વકીલ આર.સી. કોડેકરે કહ્યુ કે આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.
Advertisement