ગાંધીનગર: દૂધ સાગર ડેરીમાં કરોડોના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની ધરપકડ કરી છે. મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ફરિયાદ નોંધાઇ હતી.
Advertisement
Advertisement
300 કરોડનું કૌભાંડ
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા, તે દરમિયાન 300 કરોડનું કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યુ હતુ. નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલા ભરીને બન્નેની અટકાયત કરવામાં આવી હતી.
વિપુલ ચૌધરીએ બનાવી અર્બુદા સેના
વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવીને રાજનીતિમાં સક્રિય થવાનો પ્રયાસ કર્યો છે. વિપુલ ચૌધરીની ધરપકડ થતા અર્બુદા સેના સક્રિય થઇ ગઇ છે. ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીના હજારો સમર્થકો છે. વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની ધરપકડ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
Advertisement