અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ફ્લાવર વેલી કાશ્મીરનો અનુભવ કરાવશે. અમદાવાદની આ સૌથી મોટી વેલી છે. સાત ફેબ્રુઆરીથી સામાન્ય લોકો આ વેલીમાં જઇ શકશે. આ રીતની ફ્લાવર વેલી કાશ્મીરમાં જોવા મળે છે.
Advertisement
Advertisement
મહાનગરપાલિકા સંચાલિત આ ફ્લાવર વેલીની કેટલીક વિશેષતાઓ છે. મનપાનો દાવો છે કે દેશમાં શહેરી વિસ્તારની સૌથી મોટી અને અનોખી ફ્લાવર વેલી છે જેને એક રીતના ફૂલોથી તૈયાર કરવામાં આવી છે. આ ફ્લાવર વેલીમાં કૉસમૉસ પ્રજાતિના છોડ અલગ અલગ રંગમાં ઉગાડવામાં આવ્યા છે. આ વેલીનું ક્ષેત્રફળ 20 હજાર વર્ગ મીટર કરતા પણ વધારે છે. 12 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિના પ્રવેશ માટે 10 રૂપિયા ખર્ચવા પડશે. ફ્લાવર વેલીની ટિકિટ ઓનલાઇન કે ઓફલાઇન મળી શકશે. ઓનલાઇન ટિકિટ માટે કેટલીક છૂટ પણ આપવામાં આવશે. ફ્લાવર વેલીનો પ્રવેશ સમય સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો રહેશે. જેમાં દર્શકો માટે એક-એક કલાકના સ્લોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાત ફેબ્રુઆરીએ અમદાવાદના મેયર કિરિટ પરમાર આ વેલીનું લોકાર્પણ કરશે.
ચાર મહિના પહેલા થઇ હતી ફ્લાવર વેલીની શરૂઆત
મહાનગરપાલિકાએ ગત એક વર્ષથી આ ફ્લાવર વેલીને તૈયાર કરવાનું આયોજન શરૂ કર્યુ હતુ. ગત નવેમ્બર મહિનામાં 20 હજાર વર્ગ મીટરથી વધારે ક્ષેત્રફળ ધરાવતા આ પ્લૉટમાં ફૂલોના બીજ ઉગાડવામાં આવ્યા હતા. જે બાદ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આ ફૂલ ખિલી ઉઠ્યા હતા. તાજેતરમાં આ પ્લૉટ ફૂલોથી એ રીતે ભરેલો છે કે લોકોને તેમાંથી બહાર નીકળવાનું મન જ નહી થાય. આ રીતની વેલી ખાસ કરીને કાશ્મીરમાં જોવા મળે છે પરંતુ મહાનગરપાલિકાએ શહેરી વિસ્તારમાં દેશની સૌથી મોટી ફ્લાવર વેલી તૈયાર કરી છે.
Advertisement