જમીન વળતર મામલે રોષે ભરાયેલા ખેડૂતો મુંબઈમાં મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આજે મોટી સંખ્યમાં ખેડૂતો મુંબઈમાં આવેલા મંત્રાલય ભવનમાં ઘૂસી ગયા હતા. તેના લીધે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ વિરોધ દેખાવો દરમિયાન કેટલાંક ખેડૂતોને અટકમાં પણ લેવામાં આવ્યા હતા. હાલ મંત્રાલય અને તેની આસપાસના વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
Advertisement
Advertisement
પ્રોટેક્શન નેટ કુદીને દેખાવકારો ભવનમાં ઘૂસ્યા
મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં આવેલા મંત્રાલય ભવનમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઘૂસી ગયા હતા. ખેડૂતો તેમની જમીન માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાંક પ્રદર્શનકારીઓ ભવનના પ્રથમ માળે રાખવામાં આવેલી પ્રોટેક્શન નેટ કુદીને અંદર ઘૂસી ગયા હતા. ખેડૂતોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતાં વધુ પોલીસ ટુકડીઓને બોલાવવાની ફરજ પડી હતી.
#WATCH मुंबई में मंत्रालय भवन के अंदर किसान अपनी जमीन के लिए उचित मुआवजे की मांग करते हुए महाराष्ट्र सरकार के खिलाफ प्रदर्शन कर रहे हैं। प्रदर्शनकारी इमारत की पहली मंजिल पर लगाए गए सुरक्षात्मक जाल पर कूद गए; पुलिस की कार्रवाई जारी है।
राज्य मंत्री दादाजी भुसे मंत्रालय भवन के… pic.twitter.com/JvOGBI1KeF
— ANI_HindiNews (@AHindinews) August 29, 2023
પોલીસે કેટલાંક ખેડૂતોને અટકમાં લીધાં
કેટલાંક ખેડૂતોની અટકાયત કરીને તેમને પોલીસ દ્રારા મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશને લઈ જવાયા હોવાના અહેવાલ છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને હાલ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ખેડૂતો ભવનમાં પ્રવેશીને તેમની વિવિધ માંગણીઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના મંત્રી દાદાજી ભુસેએ ખેડૂતો સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
NCPના નેતાએ કહ્યું, ‘આ રીતે આંદોલન કરવું અયોગ્ય’
બીજી તરફ પ્રોટેક્શન નેટ કૂદી ભવનમાં ઘૂસવાના મામલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા રોહિત પવારે કહ્યું કે, ખેડૂતોની આંદોલન કરવાની આ રીત યોગ્ય નથી. જોકે સરકારે તેમનો અવાજ સાંભળી લીધો હોત તો આવી ઘટના ન બની હોત. મારું કહેવું છે કે આ રીતે આંદોલન કરવું યોગ્ય નથી. સરકારે પણ તેમને સાંભળવા જોઈએ અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ ખૂબ જ દયનીય છે. પીવા માટે પાણી પણ નથી. પશુઓ માટે પણ પાણી અને ઘાસચારાની સ્થિતિ ખૂબ ખરાબ છે. આ મામલે સરકારે ચર્ચા કરવી જોઈએ.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શું કહ્યું ?
દરમિયાન મુંબઈમાં આવેલા મંત્રાલય ભવનમાં ખેડૂતોના ઉગ્ર વિરોધ દેખાવો અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, મેં આજે ખેડૂતોને અહીં બોલાવ્યા હતા. તેમણે (રાજ્યમંત્રી) દાદા ભુસે સાથે બેઠક કરી છે. શિંદેએ ઉમેર્યું કે 15 દિવસમાં તેમની સમસ્યાઓ પર સમીક્ષા કરવામાં આવશે અને સમાધાન લાવવામાં આવશે.
Advertisement