વૈશ્વિક ભૂખ સંકટને ખતમ કરવાની માંગ કરતા 200થી વધુ ગેર સરકારી સંગઠનોએ ચેતવણી આપતા કહ્યુ છે કે દર 4 સેકન્ડમાં એક વ્યક્તિ ભૂખથી મરી રહ્યો છે. એવામાં ગ્લોબલ હંગર ક્રાઇસિસને ખતમ કરવા માટે નિર્ણાયક આંતતરાષ્ટ્રીય કાર્યવાહી કરવી જોઇએ. NGOએ એક નિવેદનમાં કહ્યુ, 75 દેશના સંગઠનોએ એક ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં ભૂખમરીના સ્તર પર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ગેર સરકારી સંગઠનોએ એક નિવેદનમાં કહ્યુ, 2019 પછી 34.5 કરોડ લોકો ભૂખમરીનો અનુભવ કરી રહ્યા છે, તેમણે કહ્યુ, દુનિયાના નેતાઓના દાવા છતા 21મી સદીમાં ફરી ક્યારેય અકાળ પડવા દેવામાં નહી આવે, સોમાલિયા ફરી એક વખત અકાળ ઝેલી રહ્યુ છે. દુનિયાભરમાં 45 દેશમાં 5 કરોડ લોકો ભૂખમરીની કગાર પર છે.
દરરોજ 19,700 લોકોના મોત
ગેર સરકારી સંગઠનોએ કહ્યુ કે દરરોજ લગભગ 19,700 લોકોના ભૂખથી મરવાનું અનુમાન છે, જેનો અર્થ દર 4 સેકન્ડમાં એક વ્યક્તિ ભૂખને કારણે મરી રહ્યો છે. ખુલ્લા પત્ર પર સાઇન કરનારા યમન ફેમિલી કેર એસોસિએશનના મોહના અહમદ અલી અલજાબલીએ નિવેદનમાં કહ્યુ, આ ઘણુ શરમજનક છે કે 21મી સદીમાં કૃષિ અને કાપની ટેકનિકમાં આજે પણ અમે અકાળ વિશે વાત કરી રહ્યા છીએ.
યમન ફેમિલી કેર એસોસિએશનના મોહના અહમદ અલી અલજાબલીએ કહ્યુ, આ એક દેશ અથવા એક કૉન્ટિનેન્ટ વિશે નથી. આ પુરી માનવતા સાથે અન્યાય વિશે છે. આપણે જીવનરક્ષક ભોજન અને લૉન્ગ ટર્મ સપોર્ટ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક ક્ષણની પણ રાહ ના જોવી જોઇએ જેથી લોકો પોતાના ભવિષ્યમાં વિચારી શકે અને પોતાના પરિવારની સહાયતા કરી શકે.
આ પહેલા વિશ્વ ખાદ્ય કાર્યક્રમના હવાલાથી કહેવામાં આવ્યુ કે, દુનિયામાં આશરે 69 કરોડ લોકો એવા છે જેમણે રાતનું ભોજન મળી શકતુ નથી. ભૂખમરીની આ સમસ્યા, મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશો (જેમણે અલ્પ વિકસિત દેશ કહેવામાં આવે છે) વધારે છે. કોવિડ-19 મહામારીને કારણે આ સમસ્યા વધી ગઇ છે કારણ કે તેના કારણથી કેટલાક દેશના લોકોને પોતાની આજીવિકાથી હાથ ધોવા પડ્યા છે. એમ પણ કહેવામાં આવ્યુ હતુ કે હવે યૂક્રેન યુદ્ધને કારણે આ સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે.
Advertisement