અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર બનાવવાના વિરોધમાં વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામુ આપી દીધુ છે. વિદ્યાપીઠમાં કાલે વાર્ષિક દીક્ષાંત સમારંભનું આયોજન થવાનું છે તે પહેલા સંસ્થામાં આંતરિક વિરોધ ખુલીને સામે આવ્યો છે.
Advertisement
Advertisement
મંગળવારે કુલાધિપતિનો પદભાર ગ્રહણ કરશે
આચાર્ય દેવવ્રતને ચાન્સેલર નિયુક્ત કરવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં ન્યાસી બોર્ડ દ્વારા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેના અનુસરણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠના પ્રતિનિધિમંડળ દ્વારા આપવામાં આવેલા આમંત્રણને સ્વીકાર કરી લીધુ હતુ. 18 તારીખે તે વિદ્યાપીઠના વાર્ષિક દીક્ષાંત સમારંભમાં નવા કુલાધિપતિના રૂપમાં ઓફિશિયલ રીતે કાર્યભાર સંભાળશે. વિદ્યાપીઠમાં ચાલી રહેલા વિવાદને લઇને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કુલાધિપતિની જવાબદારી સંભાળ્યા બાદ તે મોટા અને કડક નિર્ણય લઇ શકે છે.
વિદ્યાપીઠના વર્તમાન ચાન્સેલર ઇલાબેનના રાજીનામા બાદ નવા ચાન્સેલરના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવે, આ નક્કી કરવા માટે કેટલાક સમય પહેલા ન્યાસી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને 13થી વધારે ટ્રસ્ટીઓએ સમર્થન આપ્યુ હતુ અને તે બાદ બહુમતના આધાર પર રાજ્યપાલને નવા કુલાધિપતિના રૂપમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના સ્થાપક સર સૈયદની કહાની, વિદ્યાર્થીઓએ સમગ્ર વિશ્વમાં જ્ઞાનના દીવા પ્રગટાવ્યા
8 ટ્રસ્ટીઓએ રાજીનામુ આપ્યુ
હવે ન્યાસી બોર્ડના આ નિર્ણય વિરૂદ્ધ 8 ટ્રસ્ટીઓએ રાજીનામુ આપી દીધુ છે. વિદ્યાપીઠનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને વિદ્યાપીઠના કુલાધિપતિનું પદ સ્વીકાર કરવા માટે આમંત્રણ આપવા ગયુ હતુ. ગુજરાતના રાજ્યપાલે વિદ્યાપીઠના આ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.
Advertisement