હિદાયત પરમાર: આજે પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા (સ. અ. વ.) સાહેબના જન્મદિવસ પર એમના ઉમ્મતી તરીકે નબી એ પાક સ.અ.વ ના બતાવેલ રસ્તા પર ચાલવાની અલ્લાહ તૌફીક અતા ફરમાવે.આપના રસ્તા પર ચાલી સંપૂર્ણ જીવન આપના માર્ગદર્શન,સુચન અને સુન્નત પર ગુજારું એ જ દુઆ.. પયગંબર સાહેબે હંમેશાં સમાનતા, સ્વતંત્રતા અને ગૌરવ પર આધારિત એક સમાનતાવાદી સમાજની કલ્પના કરી.પયગંબર મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ) નો જન્મદિવસ શાંતિ, પ્રેમ, વિશ્વાસ, સંવાદિતા, સહનશીલતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. જીવનમાં આ સંદેશનું ધ્યાન રાખી માનવ મૂલ્યોનું જતન કરી એક ભારત નેક ભારતના સપનાને સાકાર કરીએ…ઇદે મિલાદુન્નબીના આ પવિત્ર પ્રસંગે આપણે સૌની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના / દુઆ કરીએ. બધા જ સમાજ/સમુદાયના તમામ વર્ગ પ્રત્યે દયા, સંભાળ અને કરુણા દર્શાવવા માટે પયગંબર મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના ઉમદા માર્ગ પર અડગ રહેવાનું ચાલુ રાખીએ.
Advertisement
Advertisement
નબી એ કરીમ (સ.અ.વ) એ ફરમાવ્યું “એ મુસલમાન નથી(3 વખત) જે પોતે પેટ ભરીને જમી લે અને તેનો પડોસી ભૂખ્યો ભૂખ્યો રહે.,પૂછ્યું પડોસી એટલે કોણ?, કહ્યું ચારેય દિશામાં આવતા 40 ઘર.”
“મજૂરને તેનો પરસેવો સુકાઈ જાય તે પહેલાં તેની મજૂરી આપી દો.”
“જો તમે વહેતા પ્રવાહમાં હોવ તો પણ પાણીનો બગાડ કરશો નહીં”
“જેઓ તમારી સાથે ખરાબ કરે છે તેમની સાથે તમે દુષ્ટતા કરતા નથી, પરંતુ તમે તેમની સાથે ક્ષમા અને દયા સાથે વ્યવહાર કરો છો.”
“તે આપણામાંથી નથી કે જે નાના બાળકો પર દયા ન કરે અને વડીલોનું સન્માન ન કરે”
પયગંબર સાહેબના જીવન ચરિત્રના લેખકો અને પ્રશંસકોની સંખ્યા પણ બહુ મોટી છે. જેઓ પૈકી વોલ્ટર, ટોલ્સટોય, સ્ટેન્લી લેઈનપુલ, આર્થર ગીલમેન,પ્રોફેસર હોગાર્થ, લા મારટીન, પંડિત સુંદરલાલ, ગાંધીજી, સરોજીની નાયડું,મેજર આર્થર ગ્લીન લેઓનાર્ડ, લેડી કોબાલ્ટ, એની બેસન્ટ, જયોર્જ બર્નાર્ડ શો,મોન્ટ ગોમરી વૉટ, વોશીંગટન ઈરવીંગ,પ્રોફેસર કે.એસ. રામા ક્રિષ્ણ રાવ,પ્રોફેસર નથાએલ, પંડિત જવાહરલાલ નેહરૂ, રોડવેલ, એડવર્ડ ગીબન, સાયમન ઓકલી, પ્રોફેસર જયુલીઅસ મેસરમેન, સર ચાર્લ્સ, એડવર્ડ, આર્ચીબાલ્ડ હેમિલ્ટન, જૉન ડ્રેપર,થોમસ કાર્લાઈસ, ડી.જી.હોગાર્થ, રેવન્ડ બોસવર્થ સ્મિથ, જૉન ડેવનપોર્ટ, ચાર્લ્સ ઈસાવી,ગૉથે, ડો. માઈકલ હાર્ટ અને અન્ય અનેક વિદ્વાનો દ્વારા પયગંબર સાહેબની જીવનગાથાના દળદાર ગ્રંથો જગતના વિખ્યાત પુસ્તકાલયોમાં ઉપલબ્ધ છે(ઓનલાઈન ગુગલની મદદ લેવાથી માહિતી મેળવી શકાશે).
– મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો “હું પયગંબરે ઇસ્લામની જીવનીનું અધ્યયન કરી રહ્યો હતો જયારે મેં પુસ્તકનો બીજો ભાગ પણ પૂરો કરી લીધો તો મને દુખ થયું કે આ મહાન પ્રતિભાશાળી જીવનનું અધ્યયન કરવા માટે મારી પાસે કોઈ બીજું પુસ્તક બાકી નથી રહ્યું.” હવે મને પેહલા કરતાં પણ વધારે વિશ્વાસ થઈ ગયો છે કે એ તલવારની શક્તિ ન હતી,જેણે ઇસ્લામ માટે વિશ્વક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો,પણ એ ઇસ્લામના પયગંબરનું અત્યંત સાદું જીવન,એમની નિસ્વાર્થતા,પ્રતિજ્ઞા પાલન અને નિર્ભયતા હતી.એમનું એમના મિત્રો અને અનુયાયીઓથી પ્રેમ કરવું અને અલ્લાહ પર ભરોસો રાખવો હતું.
[યંગ ઈન્ડિયા (સામયિક), 1928, વોલ્યુમ X]
૦ મુહમ્મદ તાજ વગરના સમ્રાટ હતા. ૨૩ વર્ષોની વિટંબણાથી ભરપૂર કસોટીમય જીવન જીવનાર મુહમ્મદ ખરેખર એક આદર્શમય(A Veritable Hero) વીર પુરૂષ.મુહમ્મદના હ્દયમાં માનવતા, પવિત્રતા અને ન્યાયનો કુદરતી આવાજ હતો : થોમસ કાર્લાઈલ
૦ વોશિંગ્ટન ઇરવિંગ (1783-1859) “પ્રથમ અમેરિકન મેન ઓફ લેટર” તરીકે જાણીતા છે.
તેમના બુદ્ધિગમ્ય સદગુણો અસાધારણ કક્ષાના હતા. તેમનો હેતુ ધાર્મિક આસ્થાનો હતો.રાજસત્તાના વર્ચસ્વનો ન હતો.
આ પણ વાંચો: ભાગલા પાડો અને રાજ કરો! શું ગુજરાતમાં વિકાસ નહીં ધર્મના નામે લડાશે ચૂંટણી?
“તે તેમના આહારમાં શાંત અને સંયમી હતા, અને ઉપવાસના કડક નિરીક્ષક હતા. તેઓ પોશાકની કોઈ જ ભવ્યતા,મનના સાફ, પહેરવેશની સાદગી … વ્યવહારમાં તેઓ ન્યાયી હતા. તેઓ મિત્રો અને અજાણ્યાઓ, શ્રીમંત અને ગરીબ, શક્તિશાળી અને નબળા દરેક સાથે સમાનતાના ભાવ સાથેનું વર્તન, અને સામાન્ય લોકો દ્વારા તેઓને એટલી સહાનુભૂતિ પ્રાપ્ત થઈ હતી કે દરેક વચ્ચે લોકપ્રિય હતા,અને ફરિયાદો સાંભળતો હતા … તેમની લશ્કરી જીતથી કોઈ ગર્વ કે અભિમાન જેવું જરાપણ નહીં.ન તો નિરર્થક ગૌરવ, તેમની સૌથી મોટી શક્તિના સમયમાં તેમણે શિષ્ટાચાર અને દેખાવની એ જ સાદગી જાળવી રાખી હતી જે તેમના પ્રતિકૂળ દિવસોમાં જોઈ હતી. જો, તેમને માનની કોઈ અસામાન્ય પ્રશંસાપત્ર બતાવવા કે દેખાવનો પ્રયાસ કરવામાં આવતો તો તેઓ નારાજ થતા.” [લાઇફ ઑફ મહોમેટ, લંડન, 1889, પૃષ્ઠ. 192-3, 199]
તે એક મહાજ્ઞાની,પ્રામાણિક અને પવિત્ર આત્મા હતા. તે મહાન જ ન હતા પણ સૌથી શ્રેષ્ઠ અને અતિશય સત્યવાદી,મહાન મુસદ્દી અને આધ્યાત્મિક વીર પુરુષ હતા.તેમણે એક મહાન ધર્મની સ્થાપના કરી હતી. : મેજર આર્થર ગ્લીન લિયોનાર્ડ
રણપ્રદેશના શૂન્યમાંથી મુહમ્મદના શક્તિશાળી આત્માએ એક નવી દુનિયાનું મંડાણ કર્યું – નવી જિંદગી, નવા સંસ્કાર, નવી સંસ્કૃતિ અને એક નવા રાજ્યની – જે મોરોક્કોથી ઈન્ડીઝ સુધી વિસ્તૃત હતું. – સ્થાપના કરી અને એશિયા,આફ્રિકા અને યુરોપના ત્રણેય ખંડોના જીવન અને વિચારસરણીને પ્રભાવિત કર્યા હતા.વિશ્વ-બંધુત્વ માનવજાતની સમાનતા અને માનવીની સામાજિક ઉન્નતિ માટે મુહમ્મદનું મોટું યોગદાન હતું.બધા મોટા ધર્મોએ આ જ બાબતનો સંદેશ આપ્યો છે. પણ ઈસ્લામના પયગંબરે આ સિદ્ધાંતને અમલી સ્વરૂપ આપ્યું હતું.જ્યારે તેના મૂલ્યનો સંપૂર્ણપણે સ્વીકાર થશે ત્યારે આંતરરાષ્ટ્રીય સમાજનો ઉદય થશે, જાતિ અને વંશીય પૂર્વગ્રહો અદ્રશ્ય થશે અને એક મજબૂત બંધુત્વ અસ્તિત્વમાં આવશે. મુહમ્મદના વ્યક્તિત્વના સંપૂર્ણ સત્ય વિશે જ્ઞાન મેળવવું મુશ્કેલ છે. હું તો ફક્ત તેની એક ઝલક મેળવી શક્યો છું. : પ્રોફેસર કે.એસ.રામકૃષ્ણ રાવ
મુહમ્મદનો આત્મા કરુણાનો આત્મા હતો : દિવાન ચંદ્ર શર્મા
જે કોઈ વ્યક્તિ અરબસ્તાનના આ મહાન પયગંબરના જીવન ચરિત્રનો અભ્યાસ કરે અને તેમના શિક્ષણની જાણકારી પ્રાપ્ત કરે તો તેને પરમાત્માના આ મહાન અને શક્તિશાળી દૂત માટે માન-સન્માનની લાગણી થાય જ. જ્યારે જ્યારે મેં તેમના વિશે વાંચન કર્યું ત્યારે ત્યારે મને તેમના પ્રત્યે નવીનતમ સન્માનની ભાવનાનો અનુભવ થયો.અરબસ્તાનના આ મહાન શિક્ષક અને મહાન શક્તિશાળી ઈશદુત પ્રત્યે મેં આદર ભાવ અનુભવ્યો છે.
શ્રીમતી એની બેસન્ટ (1847-1933) ભારતમાં બ્રિટિશ થિયોસોફિસ્ટ અને રાષ્ટ્રવાદી નેતા. 1917માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ.[ધી લાઈફ એન્ડ ટીચીંગ ઓફ મુહમ્મદ, મદ્રાસ, 1932, પૃષ્ઠ. 4]
મેં આ માનવી મુહમ્મદની જીવન કથાનો અભ્યાસ કર્યો છે.મારા મત મુજબ તેમને માનવજાતના મુક્તિદાતા – Saviour કહેવા જોઈએ.તેમના જેવા માણસ આધુનિક જગતની સર્વોપરી રાજ સત્તા હાથમાં લે તો એ જગતની બધી સમસ્યાનો સફળતાપૂર્વક ઉકેલ આવી શકે અને જગતને બહુ જ આવશ્યક એવી સુખ-શાંતિ આપી શકે. : બ્રિટિશ ફિલોસોફર જ્યોર્જ બર્નાર્ડ શો
મુહમ્મદને પરમેશ્વરના એક વફાદાર આજ્ઞાપાલક,સાચા સેવક અને પરમેશ્વર તરફથી મોકલવામાં આવેલ માનવજાતની ભલાઈ માટે સત્ય,સદગુણો સભ્યતા અને સદાચારના નીતિ-નિયમોના દુત તરીકે શા માટે સ્વીકારવામાં ન આવે? : જોન ડેવનપોર્ટ
માઈકલ એચ. હાર્ટ (1932-) ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને વિજ્ઞાન ઇતિહાસના પ્રોફેસર.
“દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં આગળ વધવા માટે મુહમ્મદની મારી પસંદગી કેટલાક વાચકોને આશ્ચર્યચકિત કરી શકે છે અને લોકો દ્વારા પ્રશ્ન પણ થઈ શકે છે, પરંતુ તે ઇતિહાસમાં એકમાત્ર એવા વ્યક્તિ હતા જે ધાર્મિક અને બિનસાંપ્રદાયિક સ્તરે સર્વોચ્ચ રીતે સફળ રહ્યા હતા.” [ધી 100: ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની રેન્કિંગ, ન્યૂ યોર્ક, 1978, પૃષ્ઠ. 33]
- વિલિયમ મોન્ટગોમરી વોટ (1909-) એડિનબર્ગ યુનિવર્સિટીમાં અરેબિક (એમેરિટસ) અને ઇસ્લામિક સ્ટડીઝના પ્રોફેસર.
“તેમની માન્યતાઓ માટે સતામણી-હેરાનગતી સહન કરવાની તેમની તૈયારી, તેમનામાં વિશ્વાસ કરનારા અને તેમને લીડર તરીકે જોનારા લોકોનું ઉચ્ચ નૈતિક પાત્ર, અને તેમની અંતિમ સિદ્ધિની મહાનતા – આ બધા તેમની મૂળભૂત પ્રામાણિકતાની દલીલ કરે છે. મુહમ્મદ વધુ સમસ્યાઓ હલ કરનાર તરીકે જોવાયા. વધુમાં, ઈતિહાસની કોઈ પણ મહાન વ્યક્તિની પશ્ચિમમાં મુહમ્મદ જેટલી પ્રશંસા કરવામાં આવી નથી.” [મોહમ્મદ એટ મક્કા, ઓક્સફોર્ડ, 1953, પૃષ્ઠ. 52]
આલ્ફોન્સ ડી લેમાર્ટિન (1790-1869) ફ્રેન્ચ કવિ અને રાજકારણી.
“ફિલોસોફર, વક્તા, પ્રેષિત, ધારાશાસ્ત્રી, યોદ્ધા, વિચારોના વિજેતા, તર્કસંગત સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરનાર, છબીઓ વિનાના સંપ્રદાયના; વીસ પાર્થિવ સામ્રાજ્યોના સ્થાપક અને એક આધ્યાત્મિક સામ્રાજ્યના સ્થાપક, તે મુહમ્મદ છે. તે તમામ ધોરણો કે જેના દ્વારા માનવ મહાનતા માપી શકાય છે, આપણે સારી રીતે કહી શકીએ છીએ કે, શું તેમનાથી મોટો કોઈ માણસ છે?” II, પૃષ્ઠ 276-277]
રેવરેન્ડ બોસવર્થ સ્મિથ (1794-1884) ટ્રિનિટી કોલેજ, ઓક્સફોર્ડના સ્વર્ગસ્થ ફેલો.
“… તે એકમાં સીઝર અને પોપ હતા; પરંતુ તે પોપના ઢોંગ વિના પોપ હતા, અને સીઝરના સૈન્ય વિના સીઝર. સ્થાયી સૈન્ય વિના, અંગરક્ષક વિના, મહેલ વિના, નિશ્ચિત આવક વિના, જો ક્યારેય કોઈ માણસને કહેવાનો અધિકાર હતો કે તેણે યોગ્ય દૈવી દ્વારા શાસન કર્યું, તો તે મોહમ્મદ હતા; કારણ કે તેમની પાસે સંસાધનો વિના અને તેના સમર્થન વિના તમામ શક્તિઓ હતી.” મોહમ્મદ અને મોહમ્મદીઝમ, લંડન, 1874, પૃષ્ઠ. 235]
એડવર્ડ ગિબન (1737-1794) તેમના સમયના મહાન બ્રિટિશ ઇતિહાસકાર તરીકે ગણવામાં આવે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરેલી: શું ભાજપ કોંગ્રેસના પરેશ ધાનાણીના વિજયરથને રોકવામાં સફળ થશે?
“મોહમ્મદના જીવનની સૌથી મોટી સફળતા તલવારના પ્રહાર વિના સંપૂર્ણ નૈતિક બળ દ્વારા અસર પામી હતી.” [સરાસેન સામ્રાજ્યનો ઇતિહાસ, લંડન, 1870]
“તેમની (એટલે કે, મુહમ્મદની) સ્મરણશક્તિ પ્રચંડ અને સંયમિત હતી, તેમની સમજશક્તિ સરળ અને સામાજિક હતી, તેમની કલ્પના ઉત્કૃષ્ટ હતી, તેમનો નિર્ણય સ્પષ્ટ, ઝડપી અને નિર્ણાયક હતો. તેમની પાસે વિચાર અને ક્રિયા બંનેની હિંમત હતી.”[હિસ્ટ્રી ઓફ ધી ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધી રોમન એમ્પાયર, લંડન, 1838, ભાગ.5, પૃષ્ઠ.335]
જ્હોન વિલિયમ ડ્રેપર (1811-1882) અમેરિકન વૈજ્ઞાનિક, ફિલસૂફ અને ઇતિહાસકાર.
મુહંમદ જગતના સૌ માનવીઓમાં માનવજાત માટે સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિ હતા. માનવજાતની મુક્તિ માટે સદગુણી જીવનનો તેમનો સંદેશ હતો.
“જસ્ટિનિયનના મૃત્યુના ચાર વર્ષ પછી, એ.ડી. 569, મક્કા ખાતે, અરેબિયામાં એક એવો વ્યક્તિ જન્મ્યો હતો જેણે માનવ જાતિ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો … મોહમ્મદ.” [યુરોપના બૌદ્ધિક વિકાસનો ઇતિહાસ, લંડન, 1875, ભાગ 1, પૃષ્ઠ 329-330]
ડેવિડ જ્યોર્જ હોગાર્થ (1862-1927) અંગ્રેજી પુરાતત્વવિદ્, લેખક અને એશમોલીયન મ્યુઝિયમ, ઓક્સફોર્ડના કીપર.
“ગંભીર અથવા નાનું, તેમના દૈનિક વર્તને એક સિદ્ધાંત સ્થાપિત કર્યો, જે લાખો લોકો આ દિવસને સભાન નકલ સાથે અવલોકન કરે છે. માનવ જાતિના કોઈપણ વર્ગ દ્વારા પરફેક્ટ મેન તરીકે ઓળખાતા કોઈપણ વ્યક્તિનું આટલું સૂક્ષ્મ અનુકરણ કરવામાં આવ્યું નથી. ખ્રિસ્તી ધર્મના સ્થાપકનું વર્તન તેમના અનુયાયીઓનાં સામાન્ય જીવનને એટલું નિયંત્રિત કરતું નથી. તદુપરાંત, કોઈ ધર્મના સ્થાપકને મુસ્લિમ ધર્મપ્રચારક જેટલી એકાંતિક પ્રતિષ્ઠા પર છોડવામાં આવ્યા નથી. [અરેબિયા, ઓક્સફોર્ડ, 1922, પૃષ્ઠ. 52]
Advertisement