ઇસ્તંબુલ: તુર્કી અને સીરિયામાં સોમવાર સવારે 7.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા પછી ફરી બપોરે ધરતી ધણધણી હતી. આ વખતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 હતી. 7.6ની તીવ્રતા ધરાવતો ભૂકંપ દક્ષિણ તુર્કીના એલ્બિસ્ટન જિલ્લામાં અનુભવાયો હતો. તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે મૃતકોની સંખ્યા 1300થી વધારે થઇ ગઇ છે.
Advertisement
Advertisement
તુર્કી ભૂકંપની મહત્વની વાતો
-
તુર્કીના દક્ષિણમાં સીરિયન સરહદ પાસે સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે ભૂકંપનો એક જોરદાર ઝટકો અનુભવાયો હતો.
-
પ્રથમ ઝટકાની થોડી મીનિટ પછી વધુ એક શક્તિશાળી ઝટકો અનુભવાયો હતો.
-
તુર્કી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યુ કે આખા વિસ્તામાં એક પછી એક 40થી વધારે આફ્ટરશોક અનુભવાયા છે.
-
તુર્કી સહિત લેબેનોન, સીરિયા, સાઇપ્રસ, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
-
તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને દેશમાં ઇમરજન્સી લાગુ કરી દીધી છે. અહી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. તુર્કીમાં અત્યાર સુધી 900થી વધારે લોકોના મોત થયાના સમાચાર છે.
-
સીરિયામાં ભૂકંપને કારણે ભીષણ વિનાશના સમાચાર છે. અહી અત્યાર સુધી 320થી વધારે લોકોના મોત થયાના સમાચાર છે.
-
તુર્કી અને સીરિયામાં ભૂકંપથી અત્યાર સુધી 1300 લોકોના મોત થયા છે જ્યારે 5,380 લોકો ઘાયલ થયા છે. ભૂકંપમાં 2818 બિલ્ડિંગ જમીનદોસ્ત થઇ છે અને કાટમાળની અંદરથી 2470 લોકોને બચાવવામાં આવ્યા છે.
PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ
પીએમ મોદીએ કહ્યુ, તુર્કીમાં ભૂકંપને કારણે મૃત્યુ અને સંપત્તિના નુકસાનથી દુખી છુ. શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છુ. ભારત તુર્કીના લોકો સાથે એકજુટતા સાથે ઉભુ છે અને આ આફત સામે લડવા માટે દરેક સંભવ મદદ આપવા તૈયાર છે.
Advertisement