નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં 5 દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અફઘાનિસ્તાન અને તજાકિસ્તાનમાં ગુરૂવાર સવારે ભૂકંપ આવ્યો હતો. તજાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી. અફઘાનિસ્તાનામં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 હતી. ભૂકંપની અસર ચીન સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાં પણ જોવા મળી હતી. તુર્કીના એંટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી. આ પહેલા બુધવારે ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
Advertisement
Advertisement
છેલ્લા 24 કલાકમાં ક્યા આવ્યો ભૂકંપ?
- અફઘાનિસ્તાનમાં ભૂકંપ ગુરૂવાર સવારે 6.07 મિનિટ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈજાબાદથી 265 કિલોમીટર દૂર હતુ. જોકે, ભૂકંપથી કોઇ નુકસાનના સમાચાર મળ્યા નહતા.
- તજાકિસ્તાનમાં સવારે 6.07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીન સાથે જોડાયેલી સરહદ પાસે ભૂકંપની અસર જોવા મળી છે.
- તુર્કીના એંટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી.
- ભારતમાં દિલ્હી એનસીઆરમાં બુધવાર બપોરે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતુ. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. નેપાળના ઝુમલાથી 69 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર હતુ. દિલ્હી-એનસીઆરમાં જોકે, સામાન્ય ઝટકા અનુભવાયા હતા.
- આ પહેલા બુધવારે બપોરે 1.30 વાગ્યે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું કેન્દ્ર પિથૌરાગઢથી 143 કિલોમીટર દૂર જમીનની 10 કિલોમીટર અંદર હતુ.
તુર્કી-સીરિયામાં વિનાશ વચ્ચે 5 દેશમાં આવ્યો ભૂકંપ
છેલ્લા 24 કલાકમાં 5 દેશમાં ભૂકંપના ઝટકા એવા સમયે આવ્યા છે જ્યારે આ મહિને ભૂકંપે તુર્કી અને સીરિયામાં વિનાશ વેર્યો છે. તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બન્ને દેશમાં અત્યાર સુધી 46000થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીમાં ભૂકંપથી 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નષ્ટ થઇ ગયા છે. ભૂકંપનું કેન્દ્ર તુર્કી-સીરિયા બોર્ડર પર હતુ. એવામાં સીરિયામાં પણ ભૂકંપથી ભારે નુકસાન થયુ હતુ. હજારો લોકોના ગાયબ થવાના સમાચાર છે.
જાન્યુઆરીમાં ભારતમાં 45 વખત આવ્યો હતો ભૂકંપ
National Center For Sismology અનુસાર, ભારતમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી 45 વખત ભૂકંપ આવ્યો હતો. 6 વખત હિમાચલ પ્રદેશ, 5 વખત ઉત્તરાખંડ અને કર્માટકમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અંદમાન અને મણીપુરમાં ચાર-ચાર વખત ભૂકંપ આવ્યો હતો. જ્યારે આસામમાં ત્રણ વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
શું ભારે વિનાશનો સંકેત નથી આ ઝટકા?
તુર્કી-સીરિયામાં 6 ફેબ્રુઆરીએ ભૂકંપ આવ્યો હતો, જેમાં 46 હજાર લોકોના મોત થયા છે. લાખો લોકો બેઘર બન્યા છે. નેધરલેન્ડના એક રિસર્ચર ફ્રૈક હૂગરબીટ્સે ભૂકંપના ત્રણ દિવસ પહેલા જ ભારે વિનાશની ભવિષ્યવાણી કરી હતી. આટલુ જ નહી ફ્રૈક હૂગરબીટ્સે ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની આસપાસ ભૂકંપના ઝટકાનું અનુમાન લગાવ્યુ છે. એવામાં સવાલ ઉભો થાય છે કે શું ભારત અને આસપાસના દેશોમાં તાજેતરમાં આવેલા ઝટકા આ વિનાશનો સંકેત તો નથી.
Advertisement