ભૂજ: કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો ઝટકો આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 62 કિલોમીટર દૂર નોંધાયુ હતુ. કચ્છમાં સવારે 10.49 કલાકે ભૂકંપ આવ્યો હતો.
Advertisement
Advertisement
અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના ઝટકા
બીજી તરફ અમરેલી જિલ્લામાં મોડી રાત્રે 1.42 વાગ્યે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. અમરેલીના ખાંભાના ભાડ, વકીયા, સાકરપરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 45 કિલોમીટર દૂર નોંધાયુ હતુ.
અવાર નવાર ધ્રૂજે છે કચ્છની ધરા
કચ્છ જિલ્લામાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવતા રહે છે. ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છમાં ધરતીકંપ હવે કાયમી બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ભૂકંપની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ પાછળનું મુખ્ય કારણ સાત પ્લેટો છે જે આગળ વધી રહી છે. જ્યારે તે ટકરાય ત્યારે ઉર્જા કાઢવા માટે રસ્તો શોધે છે. જેની હલચલને કારણે ભૂકંપ આવે છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલુ નજીક હોય છે વિનાશ એટલો વધુ હોય છે. જોકે, તેનું ક્ષેત્રફળ ઓછુ થઇ જાય છે.
ભૂકંપની કેટલી તીવ્રતા પર કેટલુ નુકસાન થાય છે?
જો ભૂકંપની તીવ્રતા 0થી 1.9 રિક્ટર હોય છે તો આ અનુભવ થતો નથી. માત્ર સીસ્મોગ્રાફ તેને શોધી શકે છે. 2થી 2.9ની તીવ્રતા પર સામાન્ય કંપારો થાય છે. 3થી 3.9ની રિક્ટર સ્કેલ પર એક થોડો જોરનો ઝટકો લાગે છે. 4થી 4.9ની તીવ્રતા પર બારીના કાચ તૂટી શકે છે. 5થી 5.9ની તીવ્રતા પર સામાન અને પંખો હલવા લાગે છે. 6થી 6.9ની તીવ્રતા પર ઉપરના માળને નુકસાન થઇ શકે છે અને પાયો ખસી શકે છે. 7થી 7.9ની તીવ્રતા પર બિલ્ડિંગ પડી જાય છે. 8થી 8.9ની તીવ્રતા પર સુનામીનો પણ ખતરો રહે છે અને આ પુલ વગેરે ધરાશાયી પણ થઇ શકે છે. જો ભૂકંપની તીવ્રતા 9થી ઉપર પહોચી જાય તો ઉભા થવા પર પણ પૃથ્વી હલતી જોવા મળે છે.
Advertisement