ઇટાનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના પાટનગર ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આ દરમિયાન લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, અટકાવવા, લટકાવવા અને ભટકાવવાનો સમય જતો રહ્યો.
Advertisement
Advertisement
ઇટાનગરમાં પીએમ મોદીએ કહ્યુ, “ફેબ્રુઆરી, 2019માં આ એરપોર્ટનો શિલાન્યાસ થયો હતો અને આ સૌભાગ્ય મને મળ્યુ હતુ. અમે એવુ વર્ક કલ્ચર લાવ્યા છીએ, જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ, તેનું ઉદ્દઘાટન પણ અમે જ કરીએ છીએ. અટકાવવા, લટકાવવા અને ભટકાવવાનો તે સમય જતો રહ્યો.” પીએમ મોદીએ કહ્યુ, જ્યારે મે 2019માં તેનો શિલાન્યાસ કર્યો, ત્યારે ચૂંટણી થવાની હતી. રાજકીય ટિપ્પણીકારોએ અવાજ કર્યો કે એરપોર્ટ બનવા નથી જઇ રહ્યો અને આજે તેનું ઉદ્દઘાટન થઇ રહ્યુ છે.
પૂર્વોત્તરને સર્વોચ્ચ પ્રાથમિકતા મળે છે
પીએમ મોદીએ કહ્યુ, દેશે 2014 પછી દરેક ગામ સુધી વિજળી પહોચાડવાનું અભિયાન શરૂ કર્યુ હતુ. આ અભિયાનનો મોટો લાભ અરૂણાચલ પ્રદેશના ગામને પણ થયો છે. અહી એવા અનેક ગામ હતા, જ્યા આઝાદી પછી પ્રથમ વખત વિજળી પહોચી હતી. અમારી સરકારે અંતિમ ગામ, અંતિમ છેડા નહી પણ દેશનું પ્રથમ ગામ માનીને કામ કર્યુ હતુ.
પીએમ મોદીએ કહ્યુ, આજે દેશમાં જે સરકાર છે, તેની પ્રાથમિકતા દેશનો વિકાસ છે, દેશના લોકોનો વિકાસ છે. વર્ષમાં 365 દિવસ, 24 કલાક, અમે દેશના વિકાસ માટે જ કામ કરીએ છીએ. કલ્ચર હોય કે એગ્રીકલ્ચર, કોમર્સ હોય કે કનેક્ટિવિટી, પૂર્વોત્તરને અંતિમ નહી પણ સર્વોચ્ચ પ્રાથમિકતા મળે છે.
આ પણ વાંચો: G20 સમ્મેલનમાં ભારત અને પીએમ મોદીની ભૂમિકાથી અમેરિકા ખુશ, દિલ ખોલીને કરી પ્રશંસા
સરકારે માત્ર 8 વર્ષમાં 7 નવા એરપોર્ટ બનાવ્યા
ઇટાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, હું જ્યારે પણ અરૂણાચલ આવુ છુ, એક નવી ઉમંગ, ઉર્જા અને નવો ઉત્સાહ લઇને જઉં છું. અરૂણાચલના લોકોના ચહેરા પર ક્યારેય પણ ઉદાસીનતા અને નિરાશા નથી ઝળકતી, અનુશાસન શું હોય છે? તે અહી દરેક વ્યક્તિ અને ઘરમાં જોવા મળે છે. પીએમ મોદીએ કહ્યુ કે ડોની પોલો એરપોર્ટ અરૂણાચલ પ્રદેશનો ચોથો એરપોર્ટ છે. સ્વતંત્રતા બાદ 7 દાયકા સુધી પૂર્વોતર વિસ્તારમાં માત્ર 9 એરપોર્ટ હતા. જોકે, અમારી સરકારે માત્ર 8 વર્ષમાં 7 નવા એરપોર્ટ બનાવ્યા છે.
Advertisement