નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં પૂર્ણ થઇ હતી. બેઠક બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને 2024માં યોજાનારી લોકસભઆ ચૂંટણી માટે સક્રિય મોડમાં આવવાની અપીલ કરી છે. બૉર્ડર પાસેના ગામમાં સંગઠનને મજબૂત કરવાની જરૂરત પર પીએમ મોદીએ ભાર આપ્યો છે. પીએમ મોદીએ પાર્ટીના બૂથ સ્તરના સંગઠનને મજબૂત કરવા પર ભાર આપ્યો હતો.
Advertisement
Advertisement
મુસ્લિમ સમાજ અંગે ખોટા નિવેદન ના કરો
ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે મુસ્લિમ સમાજ અંગે ખોટા નિવેદન ના કરો. મુસ્લિમ પછી મત આપે કે ના આપે, તેમની સાથે ભાજપના નેતાઓએ મુલાકાત કરવી જોઇએ. પીએમ મોદીએ કહ્યુ કે સત્તામાં બેઠેલા લોકો એમ ના વિચારે કે તે સ્થાયી છે. રાજસ્થાન અને છત્તીસગઢના કાર્યકર્તાઓને વડાપ્રધાન મોદીએ કહ્યુ કે અતિ ઉત્સાહને કારણે આ રાજ્યમાં આપણે ચૂંટણી હારી ગયા. પાર્ટીના લોકોએ મર્યાદિત ભાષામાં વાત કરવી જોઇએ.
ભારતનો સૌથી સારો યુગ આવી રહ્યો છે
ભાજપની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારતનો સૌથી સારો યુગ આવી રહ્યો છે, આપણે તેના વિકાસ માટે ખુદને સમર્પિત કરવા જોઇએ. પીએમ મોદીએ કહ્યુ કે ભાજપ હવે માત્ર રાજકીય આંદોલન નથી, પણ સામાજિક-આર્થિક દશાઓને બદલવા માટે કામ કરનારૂ એક સામાજિક આંદોલન પણ છે.
યુવાઓ સુધી મેસેજ પહોચાડવાનો છે
ભાજપ કાર્યકારિણીની બેઠક પછી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ કરી હતી, તેમણે કહ્યુ, પીએમ મોદીનું ભાષણ કોઇ નેતાનું નહી, રાજનીતિજ્ઞ જેવુ હતુ, તેમણે દેશને પાર્ટીથી ઉપર રાખ્યુ હતુ. વડાપ્રધાને કહ્યુ કે કોઇ રીતે આપણે કુશાસનથી સુશાસન તરફ આવ્યા છીએ આ મેસેજ આપણે યુવાઓ સુધી પહોચાડવાનો છે. આપણે સંવેદનશીલતા સાથે સમાજના તમામ અંગો સાથે જોડાવાનું છે. વોટની ચિંતા કર્યા વગર દેશ અને સમાજને બદલવાનું કામ ભાજપે કરવાનું છે.
18-25 વર્ષથી નાની ઉંમરના લોકોએ ભારતના રાજકીય ઇતિહાસને જોયો નથી, તેમણે ગત સરકારમાં થયેલા ભ્રષ્ટાચાર અને ખોટા કામ અંગે ખબર નથી, માટે તેમણે જાગૃત કરવા અને તેમણે ભાજપના સુશાસન વિશે જણાવવાની જરૂર છે. વડાપ્રધાને કહ્યુ કે જે રીતે આપણે બેટી બચાવો અભિયાનને સફ બનાવ્યુ તે રીતે ધરતી બચાવો અભિયાન પણ ચલાવવુ પડશે.
Advertisement