નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં ઓફિશિયલ રીતે વધુ એક ઉમેદવારનું નામ જોડાઇ ગયુ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિંજય સિંહે જાહેરાત કરી કે તે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેની માટે તેમણે ઉમેદવારી પત્ર પણ કલેક્ટ કરી લીધુ છે. દિલ્હી આવેલા દિગ્વિજય સિંહે કહ્યુ છે કે હું અહી પોતાનું નૉમિનેશન ફૉર્મ કલેક્ટ કરવા આવ્યો છું અને કાલે નોમિનેશન દાખલ કરીશ.
Advertisement
Advertisement
દિગ્વિજય સિંહની ઉમેદવારીની જાહેરાત એવી સમયમાં થયુ છે, જ્યારે અશોક ગહેલોતની ઉમેદવારી પર સસ્પેન્સ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર રાજસ્થાનના રાજકીય સંકટ અને મુખ્યમંત્રી અશોક ગહેલોતની સંભવિત ઉમેદવારી પર પ્રશ્ન ચિન્હ લાગ્યા બાદ હવે પાર્ટીના સીનિયર નેતા દિગ્વિજય સિંહ શુક્રવારે ચૂંટણી માટે નોમિનેશન પત્ર દાખલ કરશે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે એવા સમયમાં ઉમેદવારી પત્ર દાખલ કરવાની જાહેરાત કરી હતી, જ્યારે રાજસ્થાનના રાજકીય સંકટને કારણે મુખ્યમંત્રી અશોક ગહેલોતના ઉમેદવારી પત્ર દાખલ કરવાની સંભાવના પર પ્રશ્ન ચિન્હ લાગી ગયો છે. લોકસભા સભ્ય શશિ થરૂર 30 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે 30 સપ્ટેમ્બર સુધી નોમિનેશન દાખલ કરી શકાય છે.
ક્યારે છે ચૂંટણી અને પરિણામ
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેર કાર્યક્રમ અનુસાર, નોમિનેશન 22 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યુ અને ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી આરંભ થયો હતો, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્ર પરત લેવાની અંતિમ તારીખ આઠ ઓક્ટોબર છે. એકથી વધારે ઉમેદવારી પર 17 ઓક્ટોબરે મતદાન યોજાશે અને પરિણામ 19 ઓક્ટોબરે જાહેર થશે.
Advertisement