નડિયાદ: ખેડા જિલ્લામાં થાંભલા સાથે બાંધીને પોલીસ દ્વારા એક યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને લઇને ગુજરાત પોલીસની ટિકા થઇ રહી છએ. આ મામલે હવે ગુજરાતના ડીજીપી એક્શન મોડમાં આવી ગઇ છે, તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો પર કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Advertisement
Advertisement
જે વ્યક્તિ યુવકને લાકડીથી મારી રહ્યો છે, તેમની ઓળખ ખેડા જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ યૂનિટના એક પોલીસ કર્મીના રૂપમાં થઇ છે. એક પોલીસ કર્મી જે માર મારી રહ્યો છે, તેની ઓળખ પીઆઇ એવી પરમારના રૂપમાં થઇ છે જ્યારે બીજા પોલીસ કર્મીની ઓળખ સબ ઇંસ્પેક્ટર ડીબી કુમાવતના રૂપમાં થઇ છે.
પોલીસે હજુ સુધી વીડિયો ક્લિપમાં દેખાઇ રહેલા પોલીસ કર્મીઓનું જ નામ લીધુ છે. પોલીસ મહાનિર્દેશક (DGP) આશીષ ભાટિયાએ આ ઘટનાને લઇને જણાવ્યુ, અમે વીડિયોમાં દેખાયેલા પોલીસ કર્મીઓની તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી થશે.
કપડવંજ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકીને તપાસનો પ્રભાર આપવામાં આવ્યો છે, તેમણે કહ્યુ, મને આજે તપાસ સોપવામાં આવી છે. મારે હજુ વીડિયો ક્લિપનું વિવરણ પર ધ્યાન આપવાનું છે. એવી પરમાર અને ડીબી કુમાવત વિશે પૂછવામાં આવતા એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યુ, અમે આ વાતનો ઇનકાર નથી કરી શકતા કે આ અમારા માણસ છે, તેમણે કાયદો પોતાના હાથમાં લેવો નહતો જોઇતો.
સૂત્રોએ જણાવ્યુ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સાત કર્મીઓની તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યુ, એક વખત પ્રાથમિક તપાસ રિપોર્ટ જમા થયા બાદ અધિકારીઓને અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે, તેમણે પોતાનો પક્ષ પ્રસ્તૃત કરવા માટે કહેવામાં આવશે.
આ ઘટના ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંધેલા ગામમાં એક ગરબામાં પથ્થરમારા પછી બની હતી. આરોપી યુવકો પર એક ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરવાનો આરોપ હતો. પોલીસે પૃષ્ટી કરી કે તે તમામ મુસ્લિમ સમાજના હતા. ચાર યુવકોને થાંભલા સાથે બાંધીને મારવામાં આવ્યા હતા. બુધવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે આ ગામના કેટલાક અસામાજિક ગ્રુપ હતુ અને કોઇ સમુદાય નહતુ જેને ગામમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement