નવી દિલ્હી: દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે સોમવારે 1984ના શીખ વિરોધી દંગાઓ સાથે જોડાયેલા એક કેસમાં સક્ષમ અધિકારીને તે સ્વતંત્રતા આપી કે તેઓ એક સેવાનિવૃત પોલીસ અધિકારીને યોગ્ય સજા આપે જે કથિત રીતે પર્યાપ્ત બળ તૈયાર કરવા, નિવારક અટકાયત કરવા બદલ અને હિંસા દરમિયાન ઉપદ્રવીઓ પર લગામ લગાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
Advertisement
Advertisement
મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચે કિંગ્સ-વે કેમ્પ પોલીસ સ્ટેશનના તત્કાલીન સ્ટેશન ઇન્ચાર્જ દુર્ગા પ્રસાદ સામે શિસ્ત સત્તા અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) દ્વારા પસાર કરાયેલા આદેશોને ફગાવી દેતા કહ્યું હતું કે નિર્દોષ લોકોના રમખાણોમાં જીવ ગયા હતા અને પોલીસ અધિકારીને તેમની ઉંમર 79 વર્ષની હોવાને કારણે મુક્તિ આપી શકાય નહીં.
ખોટું કર્યું છે તો સજા તો મળશે જ
બેન્ચે કહ્યું, ‘તેમની ઉંમર 100 (વર્ષ) પણ હોઈ શકે છે. કૃપા કરીને તેમની અયોગ્ય કાર્યવાહી જુઓ. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્ર હજુ પણ એ પીડામાંથી પસાર થઈ રહ્યું છે. ઉંમરના આધારે તમે છટકી શકતા નથી. ઉંમર મદદ કરશે નહીં.
આ પણ વાંચો- હિન્દી દિવસ: ભાષા જ રાષ્ટ્રને સંગઠિત રાખી શકે છે
બેંચમાં જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ પણ સામેલ છે.
અનુશાસનાત્મક પ્રાધિકરણે (disciplinary authority) તે પોલીસ અધિકારીને શીખ વિરોધી રમખાણો દરમિયાન અયોગ્ય કાર્યવાહી માટે દોષિત ઠેરવ્યા હતા. તેમણે તે આદેશને CAT સમક્ષ પડકાર્યો હતો જેણે ફગાવી દેવામાં આવ્યો હતો. આ પછી તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અદાલતે કહ્યું, શિસ્ત સત્તાધિકારી (disciplinary authority) કાયદા અનુસાર યોગ્ય આદેશો પસાર કરવા માટે સ્વતંત્ર હશે, કોર્ટે કહ્યું. અરજદારે નિવૃત્તિની ઉંમર પ્રાપ્ત કરી લીધી છે અને તેથી સક્ષમ અધિકારી નિવૃત્તિની તારીખ અને પેન્શન નિયમોને ધ્યાનમાં રાખીને સજાના યોગ્ય આદેશો પસાર કરવા માટે સ્વતંત્ર રહેશે.
Advertisement