નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામું આપ્યુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બન્નેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. મનીષ સિસોદિયા પાસે કેટલાક વિભાગની જવાબદારી હતી. સત્યેન્દ્ર જૈનના જેલ ગયા પછી તેમના વિભાગનું કામ મનીષ સિસોદિયા જોઇ રહ્યા હતા. દિલ્હી સરકારના 33 વિભાગમાંથી 18 વિભાગની જવાબદારી મનીષ સિસોદિયા પાસે હતી. સત્યેન્દ્ર જૈન નવ મહિનાથી જેલમાં બંધ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બન્ને મંત્રીઓના રાજીનામા મંજૂર કરી લીધા છે. બન્ને મંત્રી વિવાદમાં ઘેરાયેલા છે.
Advertisement
Advertisement
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામું આપ્યુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બન્નેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. મનીષ સિસોદિયા પાસે કેટલાક વિભાગની જવાબદારી હતી. સત્યેન્દ્ર જૈનના જેલ ગયા પછી તેમના વિભાગનું કામ મનીષ સિસોદિયા જોઇ રહ્યા હતા. દિલ્હી સરકારના 33 વિભાગમાંથી 18 વિભાગની જવાબદારી મનીષ સિસોદિયા પાસે હતી. સત્યેન્દ્ર જૈન નવ મહિનાથી જેલમાં બંધ છે.
દિલ્હી દારૂ નીતિ સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ પછીથી વિપક્ષી દળ કેજરીવાલ સરકાર પર પુરી રીતે પ્રહાર કરી રહ્યુ હતું. બીજી તરફ સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રીના પદ પર હતા. બન્નેના રાજીનામાને લઇને દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ છે કે તેનાથી કામ નહી રોકાય અને ભાજપ પોતાના ઇરાદામાં સફળ નહી થાય.
ભાજપે કેજરીવાલનું રાજીનામું પણ માંગ્યુ
બન્ને મંત્રીના રાજીનામા પછી ભાજપ સાંસદ મનોજ તિવારીએ સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યુ છે. મનોજ તિવારીએ ટ્વીટ કરતા કહ્યું, “સુપ્રીમ કોર્ટની જોરદાર ફટકારથી આમ આદમી પાર્ટીની ઉંઘ ઉડી..અંતે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને કેબિનેટમાંથી રાજીનામું આપવુ પડ્યુ. જેલમાંથી સરકાર ચલાવવાનું પાપ બંધ કરવુ પડ્યુ. ભ્રષ્ટ મંત્રીઓને બચાવવાની કેજરીવાલની તમામ પ્રયાસ ફેલ થઇ ગઇ છે.”
Advertisement