દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં એક 25 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેની માતા, દાદી, બહેન અને પિતાની ઝઘડા બાદ હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી.
Advertisement
Advertisement
તેમણે કહ્યું કે આરોપીની ઓળખ કેશવ તરીકે થઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ-પશ્ચિમ) મનોજ સીએ જણાવ્યું કે મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પોલીસને ફોન કોલ દ્વારા પાલમમાં એક ઘરના ઉપરના માળે બોલાચાલીની માહિતી મળી.
તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પહોંચતા પોલીસને ઘરની અંદર એક જ પરિવારના ચાર સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, ઝઘડાની જાણ કરવા પોલીસ સ્ટેશન બોલાવનાર વ્યક્તિ અને તેના સંબંધીઓએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેશવ પાસે સ્થિર નોકરી ન હતી. તે ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતો હતો, પરંતુ એક મહિના પહેલા જ તે નોકરી છોડી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આરોપીએ ઝઘડા બાદ તેના પરિવારના સભ્યોની હત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાના સંબંધમાં પાલમ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
Advertisement