નવી દિલ્હી: કેન્દ્ર સરકારની અગ્નિપથ સ્કીમને પડકાર આપનારી તમામ અરજીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અરજીને ફગાવતા કહ્યુ, આ સ્કીમને લાવવાનો અર્થ અમારી સેનાને સારી રીતે તૈયાર કરવાનો છે અને આ દેશ હિતમાં છે. બીજી તરફ જે લોકો જૂની નીતિના આધાર પર જ નિયુક્તિની માંગ કરી રહ્યા હતા કોર્ટે તેમની માંગને એમ કહેતા ફગાવી દીધી કે માંગ યોગ્ય નથી.
Advertisement
Advertisement
દેશના અલગ અલગ ભાગમાં અગ્નિપથ સ્કીમને પડકાર આપતી અરજી દાખલ કરવામાં આવી હતી જે પછી કેસ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તમામ કેસની સુનાવણી દિલ્હી હાઇકોર્ટને ટ્રાન્સફર કરી હતી. આજે દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને સુબ્રમણ્યમ પ્રસાદની પીઠે દાખલ અરજી પર નિર્ણય સંભળાવ્યો હતો. કેન્દ્રએ પોતાનો તર્ક આપતા કહ્યુ હતુ કે અગ્નિપથ સ્કીમ ડિફેન્સ રિક્રૂટમેન્ટમાં સૌથી મોટા બદલાવમાંથી એક છે. સેનામાં ભરતી પ્રક્રિયામાં આ મોટો બદલાવ હશે.
મુખ્ય ન્યાયાધીશ સતીષ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠે 15 ડિસેમ્બરે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. સશસ્ત્ર દળમાં યુવાઓની ભરતી ગત વર્ષે 14 જૂનથી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના નિયમ અનુસાર ,17થી 21 વર્ષના લોકો આ યોજના માટે અરજી કરવાને પાત્ર છે, તેમણે ચાર વર્ષ માટે સેનામાં સામેલ કરવામાં આવશે.
છ મહિના ઘણો ઓછો સમય છે- અરજી કરનારાઓનો તર્ક
અરજી કરનારાઓએ દાવો કર્યો કે બાકી 75 ટકા ઉમેદવાર ચાર વર્ષ પછી બેરોજગાર બની જશે અને તેમના માટે કોઇ યોજના પણ નથી. હાજર રહેલા અરજી કર્તામાંથી એકે 12 ડિસેમ્બરે તર્ક આપ્યો હતો- છ મહિનામાં, મારે શારીરિક સહનશક્તિ વિકસિત કરવી છે અને હથિયારોનો ઉપયોગ કરતા શીખવાનું છે. છ મહિના ઘણો ઓછો સમય છે. અમે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતિ કરવા જઇ રહ્યા છીએ. આ મામલે તર્ક પણ આપવામાં આવ્યો કે શું અગ્નિવીરોના ચાર વર્ષના કાર્યકાળને તેમની સમગ્ર સેવામાં ગણવામાં આવશે જ્યારે તેમાંથી એક ચૌથાઇ સેનામાં સામેલ થઇ જશે.
Advertisement