નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ નીતિમાં ગેરરીતિઓના સંદર્ભમાં મની લોન્ડરિંગના કેસમાં આજે દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સાત દિવસની EDની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. EDએ તેમની 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માગી હતી. EDએ તિહાડ જેલમાં બે દિવસ પૂછપરછ કર્યા બાદ ગઈકાલે સિસોદિયાની ધરપકડ કરી હતી. દરમિયાન, રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પરની સુનાવણી આગામી 21 માર્ચ પર મુલતવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક્સાઈઝ પોલીસીના મામલામાં સિસોદિયાની ગઈકાલે ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
EDએ દસ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માગી
ધરપકડ કરાયેલા AAP નેતાએ રોઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમના એડવોકેટ દાયન ક્રિષ્ણન મારફતે રજૂઆત કરી હતી કે તેમની પાસેથી એક પણ પૈસો મળી આવ્યો નથી.
દરમિયાન, ઈડીના વકીલ ઝોહેદ હસૈને જણાવ્યું કે ઈડીએ જેમને સમન્સ પાઠવીને બોલાવ્યા છે તેમની સામે તેમને બેસાડીને પૂછપરછ કરવા માગે છે. કેટલાંક અન્ય અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. તેથી અમારે 10 દિવસની કસ્ટડી જોઈએ છે.
ED કયા આરોપોની તપાસ કરી રહી છે ?
ED કેસની મની લોન્ડરિંગના દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. તેનો આરોપ છે કે સિસોદિયાના સહયોગીઓએ દિલ્હીમાં શરાબ લાઈસન્સ માટે ‘ દક્ષિણ જૂથ’ પાસેથી લગભગ રૂ. 100 કરોડની લાંચ લીધી હતી અને AAP એ તેનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કર્યો હતો. આ કેસમાં 6 માર્ચે EDએ હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ઢલની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ સિસોદિયાનું નામ લીધું હતું.
આ દક્ષિણ જૂથમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા, અરવિંદો ફાર્માના પ્રમોટર સરથ રેડ્ડી અને YSR કોંગ્રેસના સાંસદ મગુનતા શ્રીનિવાસુલુ રેડ્ડી વગેરેનો સમાવેશ થાય છે.
CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી
ઉલ્લેખનીય છે કે દિલ્હીની નવી લીકર પોલીસીમાં કથિત કૌભાંડના કેસમાં CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી, ત્યારબાદ લગભગ એક અઠવાડિયા સુધી તેઓ CBIના રિમાન્ડ પર હતા અને હજુ 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં કેદ છે.
Advertisement