નવી દિલ્હી: દિલ્હીની નવી દારૂ નીતિમાં ભ્રષ્ટાચાર કેસમાં રવિવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. મનીષ સિસોદિયાને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે.બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) મનીષ સિસોદિયાની ધરપકડ વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
સિસોદિયાનું મેડિકલ ટેસ્ટ થયુ
મનીષ સિસોદિયાનું સોમવાર સવારે CBI કાર્યાલયમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, સિસોદિયાને 2 વાગ્યે દિલ્હીની રોજ એવેન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
સિસોદિયાની ધરપકડ વિરૂદ્ધ હતા મોટાભાગના અધિકારી- કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડને લઇને ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે, તેમણે લખ્યુ, ‘મને કહેવામાં આવ્યુ કે CBIના મોટાભાગના અધિકારી મનીષ સિસોદિયાની ધરપકડ વિરૂદ્ધ હતા. તે તમામ તેમનું ઘણુ સમ્માન કરે છે અને તેમના વિરૂદ્ધ કોઇ પુરાવા નથી પરંતુ (સિસોદિયા)ની ધરપકડ કરવાનું રાજકીય દબાણ એટલુ હતુ કે તેમણે પોતાના રાજકીય આકાઓની વાત માનવી પડી.’
અખિલેશ યાદવે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મનીષ સિસોદિયાનું સમર્થન કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ. અખિલેશ યાદવે ટ્વીટ કરતા લખ્યુ, “મનીષ સિસોદિયાની ધરપકડે સાબિત કરી દીધુ કે ભાજપ સરકાર 2024 પહેલા જ પોતાની હાર માની ચુકી છે, માટે અલગ અલગ રાજ્યમાં વિપક્ષી રાજનીતિક શક્તિઓને ખોટા કેસમાં ફસાવી રહી છે, પરંતુ સંઘર્ષશીલ લોકો જેલ જતા ડરતા નથી. સત્યને ક્યાર સુધી જેલમાં રાખી શકાય છે.’
આ પણ વાંચો: શું છે દારૂ નીતિ, જેમાં મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી?
શું છે દિલ્હીનું દારૂ નીતિ કૌભાંડ?
દિલ્હી સરકારે નવેમ્બર, 2021માં નવી દારૂ નીતિ લાગુ કરી હતી, જે બાદ ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ આ નીતિમાં અનિયમિતતાઓની આશંકા વ્યક્ત કરતા ઘટનાની તપાસ CBI પાસે કરાવવાની ભલામણ કરી હતી.
જુલાઇ, 2022માં સરકારે આ નીતિને રદ કરી દીધી હતી. CBIએ પોતાની તપાસ પછી આ ઘટનામાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી સિસોદિયા સહિત અન્ય વિરૂદ્ધ FIR દાખલ કરી હતી.
સિસોદિયા પર શું આરોપ છે?
મનીષ સિસોદિયા પર કમીશન લઇને દારૂની દુકાનોનું લાયસન્સ લેનારાઓને ફાયદો પહોચાડવાનો આરોપ છે, તેમની પર વિદેશી દારૂની કિંમતમાં બદલાવ કરી અને બીયરથી આયાત શુલ્ક હટાવવાનો આરોપ છે, જેને કારણે વિદેશી દારૂ અને બીયર સસ્તી થઇ ગઇ અને રાજકોષને નુકસાન થયુ હતુ.
સિસોદિયા પર ઉપ રાજ્યપાલની મંજૂરી વગર કોવિડ મહામારીનો હવાલો આપીને 144.36 કરોડ રૂપિયાની લાયસન્સ ફી માફ કરવાનો પણ આરોપ છે.
Advertisement