બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે તેમની પુત્રી રોહિતી આચાર્ય કિડની આપશે.
Advertisement
Advertisement
લાલૂ પરિવારના એક નજીકના નેતાએ બીબીસીને આ અંગે જાણકારી આપી હતી. તેમને અનુસાર રોહિણી આચાર્ય અને લાલૂ પ્રસાદની કિડની મેચ થઇ ગઇ છે. તેથી હવે તેઓ જ પોતાના પિતાને કિડની દાન કરશે.
આરજેડી વડા લાલૂ પ્રસાદ લાંબા સમયથી અનેક બિમારીઓથી પીડિત છે. તેમને ડાયાબિટશ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીઓ પણ છે.
લાલૂ પાછલા મહિને જ સિંગાપુરથી પરત ફર્યા છે. તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી છે.
તેમની પુત્રી રોહિણી આચાર્ય સિંગાપુરમાં જ રહે છે. હાલમાં દિલ્હીમાં છે અને તેમના સાથે તેમના પરિવારના અનેક લોકો હાજર છે.
લાલૂ પ્રસાદ યાદવ જૂલાઈ મહિનામાં પટણાના પોતાના ઘર પર પડી ગયા હતા અને તેના કારણે તેમને ઘણી બધી ઈજા થઇ હતી.
લગભગ 75 વર્ષિય લાલૂ યાદવ હાલના દિવસોમાં રાજકીય રીતે ખુબ જ ઓછા સક્રિય દેખાઇ રહ્યાં છે. જોકે, તે જાણકારી મળી રહી નથી કે, તેઓ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવશે કે નહીં.
Advertisement