ભારતમાં મુઘલ ઈતિહાસ અને મહાત્મા ગાંધીની હત્યા સાથે સંબંધિત પાઠ હટાવ્યા બાદ હવે NCERT એ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાંના એક ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિ સિદ્ધાંતને પણ વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય બાદ સમગ્ર ભારતના 1800થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષકો અને વિજ્ઞાન વિષયમાં રસ દાખવતી વ્યક્તિએ ધોરણ 9 અને 10 માટેના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતના ટોપિકને દૂર કરવા પર નિંદા કરતા NCERTને બધાના હસ્તાક્ષર સાથે એક પત્ર લખ્યો છે.
બ્રેકથ્રુ સાયન્સ સોસાયટીએ તેમના એક નિવેદનમાં જણાવ્યું છે કે, “કોર્સમાંથી ઉત્ક્રાંતિના સિદ્ધાંત સામે અપીલ” આ શીર્ષક સાથે પત્ર સામેલ છે. તેના પર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓના હસ્તાક્ષર કર્યા છે.
NCERT એક સરકારી સંસ્થા જે શાળા શિક્ષણ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે, તેણે કોરોના મહામારી પછી વિદ્યાર્થીઓ પરના બોજને ઘટાડવા માટે અભ્યાસક્રમને તર્ક સંગત બનાવવાની કવાયત હાથ ધરી હતી.
વૈજ્ઞાનિક સમુદાયનું માનવું છે કે, અભ્યાસક્રમમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને હટાવવો એ “શિક્ષણનો ભંગ” છે.
Advertisement