ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના પાછલા 24 કલાકમાં 870 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાછલા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે. તો તેની સામે 2221 દર્દીઓ સ્વાસ્થ્ય પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,00,204 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે.
ગુજરાતમાં પાછલા દિવસોથી કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.45 ટકાએ પહોંચી ગયું છે. રાજ્યમાં આજે કુલ 1,82,549 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ કુલ 8014 કુલ એક્ટિવ કેસ છે જે પૈકી 53 નાગરિકો વેન્ટીલેટર પર છે. 7961 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1200204 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10864 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત થઇ ચુક્યાં છે. 13 નાગરિકોનાં આજે મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 252, વડોદરા કોર્પોરેશનમાં 139, વડોદરામાં 92, બનાસકાંઠામાં 73 સુરત કોર્પોરેશનમાં 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ખેડામાં 24 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 23 કેસ, આણંદમાં 17 કેસ, મહેસાણામાં 16 કેસ, સુરતમાં 16 કેસ, અરવલ્લીમાં 15 કેસ, ગાંધીનગરમાં 14 કેસ, સાબરકાંઠામાં 14 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં 10, કચ્છણાં 10, ભરૂચમાં 9, પંચમહાલમાં 9, નવસારીમાં 8, દાહોદમાં 7, રાજકોટમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, મહિસાગરમાં 6, સુરેન્દ્રનગરમાં 6, તાપીમાં 5, વલસાડમાં 5, ડાંગમાં 4, પાટણમાં 4, છોટા ઉદેપુરમાં 3 કેસ નોંધાયા છે.
તે ઉપરાંત જામનગર કોર્પોરેશનમાં 3, મોરબીમાં 3, જામનગરમાં 2, નર્મદામાં 2, પોરબંદરમાં 2, અમરેલીમાં 1, ભાવનગરમાં 1, જુનાગઢમાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 1, બોટાદ અને ગીર સોમનાથમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી.