ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ નવા 2275 કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત નીપજ્યા છે. બીજી તરફ 8172 દર્દીઓએ કોરોનાથી સ્વાસ્થ્ય થયા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.36 ટકા થયો છે.
ગુજરાતના મહાનગર પાલિકાઓ અને જિલ્લાઓમાં કોરોના વાયરસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 700, વડોદરા કોર્પોરેશનમાં 292, વડોદરામાં 99, મહેસાણામાં 96, ગાંધીનગર કોર્પોરેશનમાં 91, બનાસકાંઠા 90, રાજકોટ કોર્પોરેશનમાં 84 કેસ નોંધાયા છે.
તે ઉપરાંત સુરતમાં 78 કેસ, સુરત કોર્પોરેશનમાં 72, ગાંધીનગર 52, પાટણમાં 52, તાપી 47, રાજકોટ 45, સાબરકાંઠા 45, આણંદમાં 42, કચ્છમાં 31, ખેડા 28, ભરૂચ 26, ભાવનગર કોર્પોરેશનમાં 26, નવસારીમાં 24, પંચમહાલમાં 24, અમરેલીમાં 23, અરવલ્લીમાં 21 કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત જામનગર કોર્પોરેશનમાં 20, દાહોદમાં 19, અમદાવાદમાં 17, મોરબીમાં 17, છોટા ઉદેપુરમાં 15, દેવભૂમિ દ્વારકામાં 14, મહિસાગરમાં 13, જામનગરમાં 12, સુરેન્દ્રનગરમાં 11, ડાંગમાં 9, વલસાડમાં 8, ગીર સોમનાથમાં 7, જુનાગઢ કોર્પોરેશનમાં 7, નર્મદામાં 7, ભાવનગરમાં 5, જૂનાગઢમાં 5, બોટાદમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો હતો.
આ ઉપરાંત અમદાવા કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા જિલ્લામાં 1, મહેસાણા જિલ્લામાં 1, બનાસકાંઠામાં1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 2, તાપીમાં 1, રાજકોટમાં 2, સાબરકાંઠામાં 1, ભરૂચમાં 1, જામનગરમાં 1, વલસાડમાં 1 દર્દીનું મોત નીપજ્યું હતું.