અમદાવાદ: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે. માસ્ક વગર ફ્લાવર શોમાં એન્ટ્રી આપવામાં આવશે નહી. ફ્લાવર શોની 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. એક જ જગ્યાએ ટિકિટ માટે ભીડ ના થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. ફ્લાવર શોમાં અંદાજિત 10 લાખ છોડ હશે. AMCની ઝોનલ ઓફિસે ટિકિટની વ્યવસ્થા રહેશે.
Advertisement
Advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2013થી અમદાવાદ ફ્લાવર શોનું આયોજન કરે છે. છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે AMC દ્વારા ફ્લાવર શોનું આયોજન કરાયુ નહતુ. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદના જ નાગરિકો નહી પ્રકૃતિ પ્રેમીઓ આ ફ્લાવર શોને નીહાળવા અને આનંદ લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. અમદાવાદ ફ્લાવર શો 31 ડિસેમ્બરથી શરૂ થશે અને 12 જાન્યુઆરી સુધી ચાલશે.
અમદાવાદ ફ્લાવર શોમાં નવુ શું હશે
અમદાવાદ ફ્લાવર શોમાં આ વખતે G-20ની થીમ આધારિત કલ્પસર અને મેસેજ આપતા લખાણો, ઓલિમ્પિકની જુદી જુદી રમતોનું આકર્ષણ, આઝાદી કા અમૃત મહોત્સવ આધારિત કલ્પસર, 500 ફૂટની વિવિધ કલરની ગ્રીન વોલ અને સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જુદા જુદા ટાવરના સ્કલ્પસર છે, વાઇલ્ડલાઇફ આધારિત અલગ અલગ કલ્પસર પણ છે. સંજીવની પર્વતમાંથી હનુમાનજીની પ્રતિકૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. 10 લાખથી વધુ રોપા દ્વારા ફૂલ છોડનું પ્રદર્શન યોજાશે.
કેટલા રૂપિયા ટિકિટ હશે
અમદાવાદ ફ્લાવર શોમાં પ્રવેશ માટે 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. બાળક અને સ્કૂલના વિદ્યાર્થીઓને ટિકિટમાંથી મુક્તિ આપવામાં આવી છે. ટિકિટના ઘસારાને ધ્યાનામં રાખીને દરેક ઝોનના સિવિક સેન્ટરમાં ટિકિટ મળશે. લોકોનો ઘસારો ટિકિટ બારી પર ઓછો થાય અને ઘર પાસેથી સરળતાથી ટિકિટ મળી રહે તે માટે AMC દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.
આ સિવાય અમદાવાદ ફ્લાવર શોમાં ફૂલ છોડના રોપાના વેચાણ માટે 7 નર્સરી સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જંતુ નાશક દવા અને બિયારણને લગતા 26 સ્ટોલ ઉભા કરાશે. ફ્લાવર ગાર્ડન સાથે રિવરફ્રન્ટ પર ખાણી-પીણીને લગતા 17 ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ફ્લાવર શોમાં આવતા લોકોને માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કંપલસરી કરવાનો રહેશએ. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
Advertisement