નવી દિલ્હી: બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર પછી હવે સમાજવાદી પાર્ટીના નેતા અને MLC સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસને બકવાસ ગ્રંથ ગણાવ્યો છે અને પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. સ્વામી પ્રસાદ મૌર્યના આ નિવેદન પર વિવાદ ઉભો થયો છે.
Advertisement
Advertisement
સ્વામી પ્રસાદ મૌર્યએ શું કહ્યું હતુ?
સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસને લઇને વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતુ કે રામચરિત માનસને પ્રતિબંધિત કરવો જોઇએ.
સ્વામી પ્રસાદ મૌર્યએ આ દરમિયાન કહ્યુ, ‘જે રૂઢિચુસ્ત સાહિત્યમાં પછાત અને દલિતો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, એવા કરોડો લોકો છે જેઓ રામચરિત માનસ વાંચતા નથી. બધુ બકવાસ છે, જેને તુલસીદાસે પોતાના આનંદ માટે લખી છે. સરકારે ધ્યાને લઈ રામચરિત માનસના વાંધાજનક ભાગને હટાવવો જોઈએ અથવા તો આ સમગ્ર પુસ્તક પર પ્રતિબંધ મુકવો જોઈએ. સ્વામી પ્રસાદ મૌર્યના આ નિવેદન બાદ વિવાદ સતત વધી રહ્યો છે.
સ્વામી પ્રસાદ મૌર્યને પાગલખાને મોકલો
સમાજવાદી પાર્ટીના નેતાના નિવેદન પર અયોધ્યાના મહંતો અને વિશ્વ હિન્દૂ પરિષદે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યુ કે રામચરિતમાનસ પર આ રીતનું નિવેદન આપવુ નિંદનીય છે. હું સમજુ છું કે તે વ્યક્તિને રામાયણનું જ્ઞાન નથી. બીજી તરફ વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યુ કે મૌર્યને પાગલપનનો એટેક આવી રહ્યો છે.
અખિલેશ યાદવે પણ નારાજગી વ્યક્ત કરી
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીએ તેમના નિવેદન પર અંતર જાળવ્યુ છે. સપા નેતા રવિદાસ મેહરોત્રાએ કહ્યુ કે આ સ્વામી પ્રસાદ મૌર્યનું અંગત નિવેદન છે.
સ્વામીના નિવેદન પર ભાજપના નેતા અર્પણા યાદવે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યુ કે સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના ચરિત્રનું ઉદાહરણ આપી રહ્યા છે. સાચુ તો આ છે કે તેમણે રામચરિત માનસ વાંચી જ નથી. રામ ભારતનું ચરિત્ર છે. રામ આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે. રામચરિતમાનસનું લગભગ દરેક ભાષામાં અનુવાદ થઇ ચુક્યુ છે. હજારો વર્ષો પછી પણ આજે પણ ક્યાક તેનો પાઠ થાય છે તો નવા જેવુ લાગે છે. હિન્દૂ,મુસ્લિમ, શિખ અને ઇસાઇ બધા રામનું સમ્માન કરે છે. આટલા મહત્વપૂર્ણ ગ્રંથ પર ટિપ્પણી કરવી ખોટી છે. આ નિવેદન સ્વામી પ્રસાદની માનસિકતાને દર્શાવે છે.
ભાજપના નેતા રાકેશધર ત્રિપાઠીએ કહ્યુ, સ્વામી પ્રસાદ મૌર્યા જ્યાર સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)માં હતા ત્યાર સુધી ક્યારેય પણ તેમના મોઢામાંથી કોઇ ખરાબ વાતો નથી સાંભળી પરંતુ જ્યારથી સમાજવાદી પાર્ટીમાં ગયા છે તો જાણી જોઇને સમાજવાદી પાર્ટીના એજન્ડા હેઠળ હિન્દૂઓને અપમાનિત કરવા અને તૃષ્ટિકરણ કરવા માટે આજે તે રામચરિતમાનસનો વિરોધ કરવાનું કામ કરી રહ્યા છે.
મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ પણ સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા રામચરિતમાનસ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીની ટિકા કરી છે અને તેમણે નિવેદન પરત લેવાને લઇને માફીની માંગ કરી છે. લખનઉંમાં ટીલેવાલી મસ્જિદના મુતવલ્લી મૌલાના વાસિફ હસને કહ્યું, “એક મુસ્લિમ અને ઇસ્લામના સાચા અનુયાયી હોવાને કારણે અમારા મનમાં હિન્દૂ ધર્મ અને તેમના ધર્મગ્રંથો પ્રત્યે આદર અને સમ્માન છે. હું મુસ્લિમ સમાજ તરફથી સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો વિરોધ કરૂ છુ અને તેમણે તુરંત માફી માંગવાની માંગ કરૂ છું.”
Advertisement