2024ની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનરજીએ કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા મમતા બેનરજીએ કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો મોદીને કોઈ હરાવી શકશે નહીં. મમતાએ ઉમેર્યું કે, તેમના નિવેદનને મુદ્દો બનાવીને સંસદની કાર્યવાહી ખોરવી નાંખીને રાહુલ ગાંધીને હીરો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી હાલના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવી શકાય. હવે મમતાના નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
મમતા બેનરજીના ‘રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ નિશાન બનાવી શકશે નહીં’ના નિવેદન પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે મમતા બેનરજીઆ બધું મોદીજીના આદેશ અને સૂચના પર કહી રહ્યા છે. મમતા બેનરજીએ બંગાળમાં સાબિત કરી દીધું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે એક સમજૂતી થઈ છે.
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના રહેવા પ્રમાણે તેમનો ઉદ્દેશ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નુક્સાન પહોંચાડવાનો અને તેમની પ્રતિષ્ઠાને ખરડવાનો છે. મમતા બેનરજીનું સૂત્ર બદલાઈ ગયું છે. તેઓ ED-CBIથી બચવા માગે છે. જે લોકો કોંગ્રેસનો વિરોધ કરશે તેમને મોદીજી ખુશ કરી દેશે. તેમનો સૌથી મોટો પ્રયાસ PM મોદીને ખુશ કરવાનો છે.
‘ભાજપા મોદી વિરુદ્ધ રાહુલનો મુદ્દો બનાવવા માગે છે’
હકીકતમાં, રવિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં TMC કાર્યકર્તાઓને સંબોધિત કરતાં મમતા બેનરજીએ ભાજપા અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે નહીં. રાહુલ ગાંધી પીએમ મોદી માટે ટીઆરપી જેવા છે. મમતાએ કહ્યું, ‘રાહુલ ગાંધી જે કહે છે તેને ભાજપા વધારીને રજૂ કરે છે. લંડનમાં તેમની કથિત ભારત વિરોધી ટિપ્પણીથી લઈને તેમની લાંબી દાઢી અને ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે પહેરેલી ટી-શર્ટ સુધી, ભાજપા તેમને ચર્ચાનો મુદ્દો બનાવી રહી છે. આ કોઈ કારણ વગર નથી થતું. ભાજપા ઇચ્છે છે કે 2024નું લોકસભાનું અભિયાન મોદી વિરુદ્ધ રાહુલની લડાઈમાં બદલાઈ જાય, જેમાં મોદી નિઃશંકપણે વિજેતા તરીકે ઉભરી આવશે.
Advertisement