ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છોટા ઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ છે. મોહન સિંહ રાઠવા ભાજપમાં જોડાઇ શકે છે.
Advertisement
Advertisement
છોટા ઉદેપુરના ધારાસભ્યએ આપ્યુ રાજીનામુ
છોટા ઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામું આપ્યુ છે. મોહનસિંહ રાઠવાએ જગદીશ ઠાકોરને પત્ર લખીને કહ્યુ કે, હું મોહનસિંહ રાઠવા ધારાસભ્ય, છોટા ઉદેપુર-137 ધારાસભ્ય તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય પદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપુ છું, જે સ્વીકારવા વિનંતી.
ગુજરાત વિધાનસભામાં સીનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. જેતપુર પાવી મત વિસ્તારમાંથી મોહનસિંહ રાઠવાના પુત્ર રાજૂ રાઠવા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ કોંગ્રેસ છોડી શકે છે. સુખરામ રાઠવા ભાજપમાં સામેલ થઇ શકે છે.
50 વર્ષ કોંગ્રેસમાં રહ્યા મોહનસિંહ રાઠવા
કોંગ્રેસના સીનિયર નેતા મોહન સિંહ રાઠવા 11 વખત ચૂંટણી લડ્યા છે જેમાંથી 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. આદિવાસી મતો કબજે કરવા માટે ભાજપે કોંગ્રેસમાં ગાબડુ પાડીને મોટો દાવ રમ્યો છે.
Advertisement