ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ વખતે હાઇપર-લોકલ કેમ્પેઇન પર ભાર આપી રહી છે. પાર્ટીની યોજના ગેર પાટીદાર સમાજના નેતાઓને આગળ લાવવાનો છે. સાથે જ સીધા મતદારો સાથે બેઠક કરવામાં આવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ વર્ષે રાજ્યમાં જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી પણ રેસમાં છે.
Advertisement
Advertisement
AAP વિધાનસભા ચૂંટણી પહેલા જ પોતાના 41 ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે. કોંગ્રેસ-ભાજપ તરફથી હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. રાજકીય જાણકારોનું માનવુ છે કે કોંગ્રેસ હાઇકમાન તરફથી ટિકિટ વહેચણીમાં થઇ રહેલા વિલંબ પાછળ આમ આદમી પાર્ટી જ છે. કોંગ્રેસને આ વાતનો ડર છે કે પાર્ટીના જે નેતાઓને આ વખતે ટિકિટ નથી મળી તેમણે આપ ટિકિટ આપીને ચૂંટણી લડાવી શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 77 બેઠક પર જીત મેળવી હતી.
AAP ગુજરાતમાં નહી લઇ શકે અમારી જગ્યા
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યુ, ‘આપ ગુજરાતમાં અમારી જગ્યા ક્યારેય નહી લઇ શકે. અહીના મતદાર ત્રીજા મોરચાને વોટ આપવા વિરૂદ્ધ રહ્યા છે, તેમણે શંકરસિંહ વાઘેલાથી લઇને કેશુભાઇ પટેલના નેતૃત્વ ધરાવતી પાર્ટીને ફગાવી દીધી છે. ગુજરાતી ગૌરવ મહત્વનું કારણ છે અને આપને અહી બહારના રૂપમાં જોવામાં આવે છે. આપ ભાજપની B ટીમની જેમ કામ કરી રહી છે. તે માત્ર કોંગ્રેસને તોડવાના પ્રયાસમાં લાગેલી છે. ભાજપના ઘણા નેતાઓએ AAPમાં સામેલ થવા માટે રસ દાખવ્યો છે, તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય અમને નુકસાન પહોચાડવાનો છે પરંતુ એવુ થવાનું નથી.’
દરેક ચૂંટણીમાં નરેન્દ્ર મોદી Vs રાહુલ ગાંધી કેમ?
શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું ઉદાહરણ આપતા કહ્યુ કે તે પણ પોતાના સમર્થકોને કહી ચુક્યા છે કે કોંગ્રેસને નબળી ના ગણવી જોઇએ, તેમણે કહ્યુ કે મીડિયામાં ભલે ના દેખાઇ રહ્યુ હોય પરંતુ લોકોને ભાજપ વિરૂદ્ધ વોટ કરવાની અપીલ કરી રહ્યા છીએ. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે, ‘આ વિધાનસભા ચૂંટણી છે. ભાજપ દરેક ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વર્સિસ રાહુલ ગાંધી બનાવી દે છે. અમે તેને લઇને સ્થાનિક નેતાઓને સવાલ કરીએ છીએ કારણ કે તે જ અહીના લોકો પ્રત્યેની જવાબદારી છે. અંતે કેમ આ ચૂંટણી જગદીશ ઠાકોર વર્સિસ ભૂપેન્દ્ર પટેલ નથી બની શકતી?
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની બેઠકો પર ભાજપની નજર, UP-MPના નેતાઓને પ્રચારમાં ઉતાર્યા
ભારત જોડો યાત્રામાં ગુજરાતથી અંતર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત યાત્રા પર છે. રાહુલ ગાંધીની આ વાતને લઇને ટિકા થઇ રહી છે કે તેમની યાત્રા ગુજરાત થઇને પસાર થવાની નથી. રાજ્યમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાની બહાર છે. ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રાજ્યના 27 મંદિરનો પ્રવાસ કર્યો હતો, ત્યારે આ વાતને લઇને સવાલ ઉભા થયા કે કોંગ્રેસને પોતાની ધર્મનિરપેક્ષ નીતિથી હટવાની શું જરૂરત છે. કોંગ્રેસ પર હિન્દુત્વને ભાર આપવાનો આરોપ લાગ્યો છે. જોકે, રાહુલ ગાંધી તરફથી ‘મંદિર યાત્રા’, પાટીદાર, દલિત અને OBC નેતાઓને સાથે લાવવાના પ્રયાસોથી પાર્ટીની બેઠક 61થી વધીને 77 થઇ ગઇ હતી.
Advertisement