અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં અમદાવાદ સહિતની 93 બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. આ પહેલા બીજા તબક્કા માટે 17 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ પહેલા મુખ્યમંત્રીએ પ્રભાતચોકથી સોલા સુધી રોડ શો યોજ્યો હતો.
Advertisement
Advertisement
એક હજાર યુવા બાઇક સાથે રેલીમાં જોડાયા
ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રભાતચોકથી સોલા સુધી રોડ શો કર્યો હતો. મુખ્યમંત્રી ફોર્મ ભર્યા પહેલા એસજી હાઇવે સોલા ભાગવત પાસે ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યુ હતુ. અડાલજ ત્રિ-મંદિર ખાતે દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા કહ્યુ કે, ઘાટલોડિયાના દરેક નાગરીક મારા પરિવારજનો છે, દરેકનો સહકાર મળ્યો છે એટલે લાગી રહ્યુ છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે.
Advertisement