નવી દિલ્હી: પડોશી દેશોના ગેર મુસ્લિમો માટે ભારતના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તે હેઠળ 9 રાજ્યોના ગૃહ સચિવો અને 31 જિલ્લા અધિકારીઓને અધિકાર મળ્યો છે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવાનારા હિન્દૂ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઇ સમુદાયના લોકોને દેશની નાગરિકતા પ્રદાન કરે. આ નિર્ણય નાગરિકતા અધિનિયમ 1955 (Citizenship Act, 1955) હેઠળ લેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs, MHA)એ વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ 2021-22, 1 એપ્રિલથી 31 ડિસેમ્બર 2021 સુધીનો છે. તે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયના કુલ 1414 વિદેશી નાગરિકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ રજિસ્ટ્રેશન દ્વારા આ કામ કરવામાં આવ્યું છે.
બીજા દેશોમાં આવેલા ગેર મુસ્લિમ શર્ણાર્થીઓને નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) 2019ની જગ્યાએ 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ નાગરિકતા આપવાનો નિર્ણય ખુબ જ મહત્વ ધરાવે છે.
જોકે, CAA હેઠળ અત્યાર સુધી સરકારના નિયમોને નિર્ધારિત કરવામાં આવ્યા છે અને તેથી તે હેઠળ અત્યાર સુધી કોઈને પણ નાગરિકતા આપવામાં આવી રહી નથી. MHAના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકતા આપવાના અધિકાર વધારે 13 જિલ્લાના ક્લેક્ટરોને અને બે રાજ્યોના ગૃહ સચિવોને આપી દીધી છે.
આ ત્રણેય દેશોમાંથી ભારત આવેલા ગેરમુસ્લિમોને નાગરિકતા માટે ઓનલાઈન આવેદન કરવું પડશે. તે પછી જિલ્લા સ્તર પર ક્લેક્ટર આ આવેદનોને વેરિફાઇ કરશે. આવેદન સાથે તેમના રિપોર્ટ કેન્દ્ર સરકાર માટે ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રક્રિયા પછી ક્લેક્ટર સર્ટિફિકેટ આપશે.
રાજ્યોના નામ:-
ગુજરાત
રાજસ્થાન
છત્તીસગઢ
હરિયાણા
પંજાબ
મધ્યપ્રદેશ
ક્લેક્ટર આપશે પ્રમાણપત્ર
ડોક્યુમેન્ટની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ક્લેક્ટર જે લોકોના આવેદન યોગ્ય ઠેરવશે તેમના માટે નોંધણી અથવા દેશીયકરણનું પ્રમાણ પત્ર આપવામાં આવશે. નરેન્દ્ર મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગેર-મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવા ઇચ્છે છે, જે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવ્યા હતા. પાછલા જ મહિને આણંદ અને મહેસાણા જિલ્લાઓને આનો અધિકાર આપવામાં આવ્યો છે. તે દરમિયાન કેટલાક પાકિસ્તાની નાગરિકોને ભારતની નાગરિકતા પણ આપવામાં આવી હતી.
Advertisement