હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના અડધાના પેપર પૂર્ણ થયા છે. બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ ઘણી મહેતન કરતા હોય છે ત્યારે ચાંદખેડા વિસ્તારમાં આવેલી ત્રિપ્રભુ સોસાયટીમાં રહેતા અને હાલ જીટીયુમાં પ્યુન તરીકે જોબ કરતા ચિરાગ રાઠોડ ૧૭ વર્ષ પછી ફરીથી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ત્રમ પેપર આપ્યા છે. બોર્ડની પરીક્ષા વિશે ચિરાગ રાઠોડે પોતાનું મંતવ્ય આપતા કહે છે, મેં પહેલીવાર ૨૦૦૬માં ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી જેમાં ત્રણ વિષયમાં નાપાસ થયો હતો. નાપાસ થવાને લીધે રોજગારી મળે તે માટે જે નોકરી મળે તેમાં કામ કર્યું અને હાલ જીટીયુમાં પ્યુન તરીકે સેવા આપી રહ્યો છું. થોડા વર્ષોમાં મારા લગ્ન થયા હતા. મારી પત્ની અને જીટીયુના સ્ટાફની પ્રેરણાથી મને ધોરણ ૧૦ની પરીક્ષા આપવાની પ્રેરણા આપી જેને લીધે હું આજે બોર્ડની પરીક્ષા આપી શક્યો છું. મેં રિપીટર તરીકે ગુજરાતી, ગણિત અને વિજ્ઞાાનના પેપર આપ્યા છે અને સારા માર્ક્સ પણ આવશે તેવું મને લાગે છે. ૧૭ વર્ષ પછી પરીક્ષા આપવાથી મને ઘણો સંકોચ થતો હતો સાથે પરીક્ષા પદ્ધતિમાં થયેલા ઘણાં ફેરફારને લઇને થોડું અઘરું લાગતું હતું. હું જોબની સાથે ત્રણ વિષયની તૈયારી કરતો હતો. દિવસમાં થોડો સમય મળે તો પણ જે તે વિષયની તૈયારી કરતો હતો સાથે અઘરાં ટોપિકની નોટબૂક્સ બનાવી હતી. પરીક્ષાને લઇને દસ દિવસ સુધી રજા લીધી છે જેનાથી મને વાંચવા માટે પૂરતો સમય મળ્યો હતો. હાલમાં હું જીટીયુમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે કોન્ટ્રાક્ટ પર જોબ કરું છું અને મને પ્રમોશન મળે તે માટે આ પરીક્ષા આપી છે.
Advertisement
Advertisement
Advertisement