સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માનું એક સ્ટિંગ ઓપરેશન ઝી ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં તેને કેટલાક ખુલાસા કર્યા છે. ચેતન શર્માએ દાવો કર્યો છે કે ભારતીય ખેલાડી ફિટનેસ માટે ઇન્જેક્શન લે છે. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ-ગાંગુલી વિવાદ, વિરાટ કોહલી-રોહિત શર્મા વચ્ચે મતભેદ અને ખેલાડીઓને લઇને કેટલાક ખુલાસા કર્યા છે.
Advertisement
Advertisement
ચેતન શર્માએ કહ્યુ, “કેટલીક વખત ખેલાડી પુરી રીતે ફિટ નથી રહેતા તો ઇન્જેક્શન લઇને ખોટી ફિટનેસ સાબિત કરી લે છે. આ પેન કિલર નથી હોતી અને તેમાં એવી વસ્તુ રહે છે જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી.”
NCA દબાણમાં સ્ટાર ખેલાડીઓને ફિટ જાહેર કરે છે- ચેતન શર્મા
તાજેતરના સમયમાં જોવા મળ્યુ છે કે કેટલાક ખેલાડી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)એ ખેલાડીને પુરી રીતે ફિટ જાહેર કર્યા છે પરંતુ કેટલાક સમય પછી ખેલાડી ફરી ઇજાગ્રસ્ત થઇ જાય છે. જેની પર ચેતન શર્માએ કહ્યુ, “સ્ટાર ખેલાડીઓને NCA દબાણમાં જલ્દી ફિટ જાહેર કરી દે છે. તે બાદ તેમની પસંદગી કરવા માટે પસંદગીકારોએ અંતિમ નિર્ણય લેવાનો હોય છે.”
રોહિત મારા બાળક જેવો છે
આ સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્મા કહેતા જોવા મળે છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેની સાથે ફોન પર અડધો કલાક વાત કરે છે. ચેતન શર્મા કહે છે, રોહિત મારા બાળક જેવો છે, સિલેક્ટર્સનો રોલ મોટો હોય છે. ખેલાડી સિલેક્ટર્સના ટચમાં રહે છે. મારા સાથી અથવા રોહિત જે પણ મારી સાથે વાત કરે છે તે આ રૂમની બહાર જતી નથી.
સોફા પર ઉંઘે છે હાર્દિક પંડ્યા
ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અંગે ચેતન શર્મા કહે છે કે તે ઘરે મળવા આવે છે. ચેતન શર્મા અનુસાર, હાર્દિક તે ભારતીય ક્રિકેટનું ફ્યૂચર છે. ઘણો સારો છે. કેટલાક વર્તમાન ક્રિકેટર્સ, મને મળવા આવે છે. અત્યારે દીપક હુડ્ડા આવ્યો હતો. ઉમેશ યાદવ કેટલાક દિવસ પહેલા મળીને ગયો હતો. ખેલાડીઓએ ચેરમેન સાથે વાત કરવી હોય છે. હાર્દિક તે દિવસે દિલ્હીમાં લેન્ડ કર્યુ મને ફોન લગાવ્યો કે સર ક્યા છો, મે કહ્યું કે ઘરે જ છું તો રાત્રે જ આવી ગયો કારણ કે જે વાત મારા ઘરમાં થઇ શકે છે તે ક્યાય થઇ શકતી નથી.
હવે ચેતન શર્માનું શું થશે?
હવે આ સ્ટિંગ ઓપરેશન પછી ચેતન શર્માનું શું થશે આ તો સમય જ બતાવશે. મીડિયા એજન્સી સાથે બીસીસીઆઇના સીનિયર અધિકારીએ વાતચીતમાં કહ્યુ કે, સચિવ જય શાહ જ ચેતન શર્માા ભવિષ્યને લઇને નિર્ણય કરશે. સવાલ ઉભો થાય છે કે શું ટી-20 કેપ્ટન હાર્દિક પંડ્યા અથવા વન ડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા આ જાણતા ચેતન આંતરિક ચર્ચાઓનો ખુલાસો કરી શકે છે, તેમની સાથે પસંદગી બેઠકમાં બેસવા માંગશે.
Advertisement