ગાંધીનગર: રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. મધ્ય ગુજરાતના ખેડા, નડિયાદ, ડાકોર પંથકમાં વરસાદ પડ્યો હતો. ડાકોરમાં વરસાદ પડતા દર્શનાર્થે આવેલા ભક્તો અટવાયા હતા.
Advertisement
Advertisement
મધ્ય ગુજરાતમાં નડિયાદ, મહુધા, પીજ, ચકલાસી, ડાકોર, ઠાસરા, ગળતેશ્વર પંથકમાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ, આણંદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 30 જાન્યુઆરી પછી ફરી એક વખત ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. 28 જાન્યુઆરીએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્ય ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં કરા સાથે વરસાદ પડી શકે છે.
Advertisement