નવી દિલ્હી: સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નિયમમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. હવે સેનામાં અગ્નિપથ યોજના દ્વારા ભરતી થવાની ઇચ્છા ધરાવતા યુવાઓને હવે સૌથી પહેલા ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) આપવી પડશે. જેમાં સફળ થનારા ઉમેદવારોનો ફિઝિકલ ટેસ્ટ અને પછી મેડિકલ ટેસ્ટમાં પસંદગી માટે બોલાવવામાં આવશે. જે ઉમેદવાર આ ત્રણ તબક્કાને સફળતાપૂર્વક પાર કરશે, તેની પસંદગી સેનામાં થશએ.
Advertisement
Advertisement
અત્યાર સુધી આ નિયમ હતો
ભારતીય સેનાએ જાહેરાત કરીને ભરતી માટે ત્રણ તબક્કાની જાણકારી આપી છે. અત્યાર સુધી સેનામાં અગ્નિવીર દ્વારા ભરતી થવાની પ્રક્રિયા યોગ્ય હતી પરંતુ હવે તેના તબક્કામાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જૂના નિયમ હેઠળ સૌથી પહેલા ઉમેદવારોનો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને પછી મેડિકલ ટેસ્ટ થતો હતો. CEE સૌથી અંતિમ તબક્કા તરીકે પ્રક્રિયામાં સામેલ હતુ. સેન્ય અધિકારીઓએ આ બદલાવ પાછળ કેટલાક કારણ જણાવ્યા છે.
આ કારણે પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવ્યો
વહીવટી ખર્ચ અને લોજિસ્ટિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમેદવારોની તપાસ કરવામાં આવતી હતી, જેના કારણે વહીવટી સંસાધનોને અસર પડતી હતી. ભીડને નિયંત્રિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે સુરક્ષા તૈનાત કરવી પડતી હતી. ઉપરાંત, ભરતી રેલીઓમાં પૂરતો તબીબી સ્ટાફ મોકલવો પડતો હતો.
સેનાને ભણેલા-ગણેલા સૈનિકોની જરૂરત- અધિકારી
એક બીજા અધિકારીએ કહ્યુ કે આધુનિકીકરણ તરફ વધતી સેનામાં ભવિષ્યમાં નવી ટેકનિકોને સામેલ કરવામાં આવશે, તેના ઉપયોગ માટે જરૂરી છે કે સેના પાસે ભણેલા-ગણેલા સૈનિક હોય, તેમણે કહ્યુ કે CEEને સૌથી પહેલા કરવાનો આ ફાયદો થશે કે સેના પાસે સારા અને યોગ્ય ઉમેદવાર આવશે, જે બાદમાં ફિઝિકલ ફિટનેસ માટે તપાસવામાં આવશે. અહી સફળ થયા પછી તેમનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
અત્યાર સુધી 19 હજાર અગ્નિવીરની સેનામાં ભરતી થઇ ચુકી છે
અત્યાર સુધી સેનામાં 19 હજાર અગ્નિવીર ભરતી થઇ ચુક્યા છે અને 21 હજાર અન્ય માર્ચના પ્રથમ અઠવાડિયામાં ભરતી થશે. ભરતીની પ્રક્રિયામાં બદલાવની અસર લગભગ 40,000 ઉમેદવારો પર પડશે, જે 2023-24માં સેનામાં ભરતી માટે પ્રયાસ કરશે.
મહત્વપૂર્ણ છે કે સેના અલગ-અલગ શહેરમાં ભરતી માટે કેમ્પ લગાવે છે, જ્યા આવનારા ઉમેદવારોની સંખ્યા નાના શહેરોમાં 5 હજારથી લઇને મોટા શહેરમાં 1.5 લાખ સુધી હોય છે.
શું છે અગ્નિપથ યોજના?
અગ્નિપથ યોજના એ ત્રણ સેવાઓ, આર્મી, ભારતીય વાયુસેના અને નૌકાદળ માટે અખિલ ભારતીય મેરિટ-આધારિત ભરતી પ્રક્રિયા છે. આ યોજના હેઠળ ભરતી થયેલા યુવાનોને ‘અગ્નિવીર’ કહેવામાં આવે છે અને તેમને ચાર વર્ષ સુધી સેનામાં સેવા કરવાની તક મળશે. આ પછી 25 ટકા અગ્નિવીરોને યોગ્યતા, ઈચ્છાશક્તિ અને મેડિકલ ફિટનેસના આધારે સેવામાં જાળવી રાખવામાં આવશે. દેશભરના યુવાનોએ આ યોજનાનો વિરોધ કર્યો હતો.
Advertisement