ચૈત્ર મહિનાનું જેમ ધાર્મિક મહત્ત્વ છે તેવી જ રીતે તેનું આરોગ્યની રીતે પણ મહત્ત્વ છે. આ મહિનામાં લીમડાના મ્હોરને પાણીમાં પલાળીને નરણાં કોઠે પીવાથી અનેક રોગોનું શમન થાય છે.
Advertisement
Advertisement
દર વર્ષની જેમ આ વર્ષે પણ સાણંદની સમાજસેવી સંસ્થા માનવસેવાએ લીમડાના મ્હોરના પાણીની સેવા અમદાવાદના જાણીતા એવા પ્રહાલાદનગર ગાર્ડનના ગેટ પાસે કરી છે.
આ અંગે માનવસેવાના પ્રણેતા મનુભાઈ બારોટે જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં વર્ષોથી અમે લીમડાના મ્હોરનું વિતરણ કરીએ છીએ. આ માટે અમે ખાસ તાંબાના વાસણોનો ઉપયોગ કરીએ છે જેનું એક આગવું મહત્ત્વ છે. આ એક નિશુલ્ક સેવા છે. લીમડામાં અનેક ઔષધીય ગુણો છે તેની લોકોને જાણકારી થાય એ માટેનો અમારો આ પ્રયત્ન છે.
અમારી સંસ્થા વૃક્ષારોપણ, શિક્ષણ અને આરોગ્યમાં હંમેશા તત્પર રહી છે અને ચૈત્ર મહિનામાં લીમડાંના મ્હોરનો લ્હાવો લેવા સૌ કોઈ આવે છે. અમારો આખો માનવસેવા પરિવાર ચૈત્ર મહિનામાં આ કામમાં લાગી જાય છે. સવારમાં કશું જ ખાધા-પીધા વિના લીમડાંનો મ્હોર ઓછામાં ઓછું એક અઠવાડિયું કે પંદર દિવસ સુધી લેવામાં આવે તો પેટના રોગોમાં અને શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં ખૂબ લાભ થાય છે.પહેલાં આપણાં ગામડાંઓમાં આ એક પ્રચલિત ઔષધી હતી જેના માટે અમે સૌને જાગૃત કરીએ છીએ.
Advertisement