દિલ્હીઃ ભાજપા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ PM મોદીને મારી નંખાવવા માગે છે. પંજાબમાં PM નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિનો ઉલ્લેખ કરતાં ગિરિરાજ સિંહે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી.
Advertisement
Advertisement
રાહુલ ગાંધી માફી માગે
દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેમની સરકાર (કોંગ્રેસ) વિવાદોમાં ઘેરાયેલી રહી હતી. આજે મોદીની સરકાર અપેક્ષાઓથી ઘેરાયેલી છે. આ અદાણી, અંબાણી, JPC તો બહાનું છે, મોદીને ગાળો આપવી છે. તે વિદેશમાં જઈને લોકશાહી, ગૃહને ગાળો આપે છે. તેમણે દેશને અપમાનિત કર્યો છે અને તેમણે માફી માગવી જોઈએ.
પહેલા મોતના સોદાગર કહીને PMનું અપમાન કરતા હતા
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર આરોપ મૂકતાં કહ્યું કે આ લોકો કહે છે કે મોદીનો નાશ થશે ત્યારે આ લોકોની સરકારનો અંત આવશે. પહેલા તો આ લોકો તેમને મોતના સોદાગર કહીને તેમનું અપમાન કરતા હતા, પરંતુ હવે આ લોકો તેમની હત્યા કરાવવા માગે છે. કોંગ્રેસ સરકારના વખતમાં જ્યારે PM નરેન્દ્ર મોદી પંજાબ ગયા હતા ત્યારે ફ્લાયઓવર પર તેમને અધવચ્ચે રોકી દેવાયા હતા. તેમને મારી નાંખવાની પૂરી તૈયારી કરી દેવાઈ હતી. હવે તેમના નેતા PM નરેન્દ્ર મોદીને ખતમ કરી નાખવાની વાત કરે છે.
રાહુલ ગાંધી સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ
આ અગાઉ ગિરિરાજ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી વિદેશ જઈને સંસદ વિશે નિવેદનો આપે છે તેથી તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. તેમણે લોકસભા અધ્યક્ષ સમક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી હાધ ધરવાની માગણી કરી હતી. ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું હતું કે જ્યારે દેશની બહાર કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રીનું અપમાન કરે છે ત્યારે તે દેશનું અપમાન કરે છે. જે લોકો લોકસભામાં કલાકો સુધી વક્તવ્ય આપે અને વિદેશમાં જઈને કહે કે તેમને બોલવા દેવામાં આવતા નથી, તેના પર લોકસભા અધ્યક્ષે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે લોકશાહી અને દેશનું અપમાન કરે છે, તેઓ ટુકડા-ટુકડા ગેંગની ભાષા બોલે છે.
Advertisement