પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે બીરભૂમમાં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન સાથે મુલાકાત કરી હતી.
Advertisement
Advertisement
આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપે અમર્ત્ય સેનનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ.
કેન્દ્ર સરકાર પર વિશ્વભારતી (શાંતિનિકેતન)નું ‘ભગવાકરણ’ કરવાનો આરોપ લગાવતા, તેમણે આવા પ્રયાસોને સમાપ્ત કરવાની માંગ કરી હતી.
Amid allegations of ‘unauthorised occupation’ against Nobel laureate Amartya Sen by Visva-Bharati, Bengal CM Mamata Banerjee hands over land-related documents to him, asserts that ‘no one can question him’ in future
— Press Trust of India (@PTI_News) January 30, 2023
આ બેઠકમાં મમતા બેનર્જીએ પોતે અમર્ત્ય સેનને 1.38 એકર જમીનના ડોક્યુમેન્ટ સોંપ્યા હતા. તેમણે 1984ના જમીન સર્વેક્ષણ અને 1956ના રિવિઝનલ સર્વેના કાગળો તેમને સોંપ્યા.
આ દરમિયાન તેમણે કહ્યું કે વિશ્વભારતીના સેન પર જમીન હડપ કરવાના આરોપો ‘ખોટા’ છે અને તેનો હેતુ સેનને અપમાનિત કરવાનો છે.
અગાઉ યુનિવર્સિટીએ સેન પર 0.13 એકર જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ મૂક્યો હતો, જે યુનિવર્સિટીને પાછી આપવી જોઈએ.
આ સિવાય મમતા બેનર્જીએ રાજ્યના ડીજીપીને પ્રો. સેનને ‘ઝેડ પ્લસ’ સુરક્ષા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Advertisement