નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચ કમિશ્નર અરૂણ ગોયલની નિયુક્તિના સંદર્ભમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પછી મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીવાળી સરકાર પર ચૂંટણી પંચને કમજોર બનાવવાનો આરોપ લગાવ્યો અને ચૂંટણી કમિશ્નરની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂંક સંબંધિત ફાઇલ તેની સમક્ષ રજૂ કરવા કહ્યું. ગોયલને 19 નવેમ્બરે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય પીઠે કહ્યું હતુ કે તેઓ જાણે છે કે ચૂંટણી કમિશનરના રૂપમાં ગોયલની નિયુક્તિમાં ક્યાંય અનુચૂતિ તો કરવામાં આવ્યું નથી ને? કેમ કે તેમને થોડા દિવસ પહેલા જ સેવામાંથી સ્વેચ્છાએ સેવાનિવૃતિ લીધી હતી.
આને લઈને કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કર્યું, “કેન્દ્ર સરકારને ગોયલની નિયુક્તિને ડોક્યુમેન્ટ બતાવવાથી ક્યારેય કોઈ જ વાંધો હોવો જોઈએ નહીં… શું કેન્દ્ર સરકાર પાસે છૂપાવવા માટે કંઇ છે? શું દાળમાં કઇ કાળું છે કે પછી દાળ જ આખી કાળી છે?”
તો, જનતા દળ (યૂનાઈટેડ)ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, ઉચ્ચતમ ન્યાયાલયની ટિપ્પણી ખુબ જ ખતરનાક છે અને ચૂંટણી પંચની સ્થિતિને દર્શાવે છે.
તેમને કહ્યું, “અમે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનું સ્વાગત કરીએ છીએ. ચૂંટણી પંચે આને લઈને શિખામણ લેવી જોઈએ”
માકપા મહાસચિવ સીતારામ યેચુરૂએ કહ્યું, “નિયુક્તિની પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. અમે હંમેશા માંગ કરી છે કે ચૂંટણી પંચ કમિશ્નરની પસંદગીની પ્રક્રિયા પણ સીબીઆઈ અને લોકપાલની નિયુક્તિની પ્રક્રિયાની જેમ જ હોવી જોઈએ.”
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયને આરોપ લગાવ્યો કે મોદી સરકારે ચૂંટણી પંચને કમજોર બનાવી દીધું છે.
આરજેડીના પ્રવક્તા અને રાજ્યસભા સભ્ય મનોજ ઝાએ કહ્યું કે, ઉચ્ચતમ ન્યાયાલયે જે ટિપ્પણીઓ કરી છે, તે આનો સ્પષ્ટ સંકેત છે કે આપણે જે લાંબા સમયથી કહી રહ્યાં છીએ તે સત્ય છે.
તેમને કહ્યું, ‘ઉચ્ચતમ ન્યાયાલયે આયોગના કામકાજને લઈને મહત્વપૂર્ણ ચિંતાઓ વ્યક્ત કરી છે.’ ઝાએ કહ્યું, ન્યાયાલયે પસંદગીના આધારને લઈને પ્રશ્ન ઉભા કર્યા અને તે અમારા સ્ટેન્ડને યોગ્ય ઠેરવે છે કે ચૂંટણી પંચ અનુચ્છેદ 324 હેઠળ મળેલા પોતાની જવાબદારીનું વહન કરી રહ્યું નથી.
નોંધનીય છે કે કોર્ટે બંધારણની કલમ 324નો મુદ્દો ઉઠાવ્યો હતો, જે ચૂંટણી કમિશનરની નિમણૂંક સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે તેમાં આવી નિમણૂંકો માટેની પ્રક્રિયા આપવામાં આવી નથી.
કોર્ટે મંગળવારે કહ્યું હતું કે આ સિવાય તેમણે આ સંબંધમાં સંસદ દ્વારા કાયદો ઘડવાની ભલામણ કરી હતી, પરંતુ જે છેલ્લા 72 વર્ષમાં ઘડવામાં આવ્યો નથી, જેના કારણે કેન્દ્ર તેનો ફાયદો ઉઠાવતું રહ્યું છે.
મોઈલી, કુરેશીએ પણ કોર્ટની ટિપ્પણીને આપ્યું સમર્થન
ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન એમ. વીરપ્પા મોઈલી અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) SY કુરેશીએ બુધવારે CEC અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક માટે એક સલાહકાર તંત્રની તરફેણ કરી હતી.
મોઈલીએ કહ્યું કે તેઓ તેનું સંપૂર્ણ સમર્થન કરે છે. મોઈલીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘આને કરવું જરૂરી છે. જો તમે ઇચ્છો છો કે ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ બંને સ્વતંત્ર હોય તો તે છ વર્ષ (સીઈસીની મુદત) માટે હોવી જોઈએ (સીઈસી અને ઈસીની નિમણૂંક) અને એક કોલેજિયમ દ્વારા થવી જોઈએ , જેની ભલામણ મારા બીજા પ્રશાસનિક આયોગ (રિપોર્ટ)માં કરવામાં આવી હતી.
એનડીટી સાથે વાત કરતાં કુરેશીએ કહ્યું, ‘મને તે વાતની ખુશી છે. ચાર વર્ષ પહેલા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આશા છે કે તેનો સમાધાન નિકળશે. હું સીઈસી પણ રહી ચુક્યો છું. અમે નબળાઈ અનુભવતા હતા, કોઈપણ અમારી સામે આંગળી ઉઠાવી શકે છે.
તેમને કહ્યું, “આ માંગ 25 વર્ષ જૂની છે. માંગમાં કહેવામાં આવ્યું હતુ કે, સીઈસીની પસંદગી પ્રક્રિયાની સમિતિમાં વિપક્ષના નેતા પણ હોવા જોઈએ, જેથી આને મજબૂતી મળશે. સરકારો આના પર કંઈ જ કરતી નથી. અમે સરકારને પણ લખ્યું હતુ પરંતુ સરકારે કંઇ જ કર્યું નહીં.
કુરેશીએ કહ્યું, “સેવા આપતા CEC આની માંગ કરી રહ્યા છે. અમે કોલેજિયમ સિસ્ટમથી પરિચિત છીએ. કોલેજિયમ દ્વારા વિવિધ નિમણૂંકો કરવામાં આવે છે. તે રાજકીય રીતે ખૂબ જ સંવેદનશીલ છે… તે જૂની માંગ છે અને મને આશા છે કે આ મામલો કોર્ટ સમક્ષ હોવાથી કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેણી (સુપ્રીમ કોર્ટ) કોઈ નિષ્કર્ષ પર આવશે.
નોંધનીય છે કે માર્ચ, 2015માં સરકારને સોંપવામાં આવેલા ચૂંટણી સુધારણા અંગેના તેના 255મા અહેવાલમાં ન્યાયમૂર્તિ એપી શાહ (નિવૃત્ત) ની આગેવાની હેઠળના 20મા કાયદા પંચે CEC અને ECની નિમણૂક માટે ત્રણ સભ્યોના કોલેજિયમની ભલામણ કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, “ચૂંટણી પંચની તટસ્થતા જાળવવાના મહત્વને જોતા અને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને કાર્યકારી હસ્તક્ષેપથી બચાવવા માટે તે જરૂરી છે કે ચૂંટણી કમિશનરોની નિમણૂંક સલાહાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે.”
ઉલ્લેખનિય છે કે મંગળવારની સુનાવણીમાં અગાઉ બેન્ચે કેન્દ્રની વર્તમાન પ્રણાલી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જે ચૂંટણી કમિશનર (EC) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે તેની પસંદગીના અમલદારોની નિમણૂંક કરે છે, અને કહ્યું હતું કે એક પ્રતિષ્ઠિત બિન-અન્યાયી અને મજબૂત રાજકીય પાત્રની વ્યક્તિની નિમણૂંક કરવા માટે પારદર્શક પદ્ધતિ અપનાવવી જોઈએ જે પ્રભાવિત થયા વિના સ્વતંત્ર નિર્ણય લઈ શકે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે બંધારણે મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરના ‘નાજુક ખભા’ પર ઘણી જવાબદારીઓ મૂકી છે અને તે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ટીએન શેષન જેવા મજબૂત પાત્ર ધરાવતી વ્યક્તિની જરૂરત છે.
Advertisement