દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોથી રાજધાની દિલ્હી પૂરની ઝપેટમાં છે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આવેલા પૂર માટે હરિયાણા સરકારને જવાબદાર ઠેરવી છે. હકીકતમાં, હથિનીકુંડ બેરેજમાંથી વધુ પડતું પાણી છોડવામાં આવ્યા પછી, યમુના નદીનું જળ સ્તર ભયજનક સપાટીની ઉપર પહોંચી ગયું છે. જેના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. હવે આ મામલે રાજકારણ ગરમાયું છે અને ભાજપના નેતાઓએ કેજરીવાલના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
દિલ્હીના સીએમ કેજરીવાલના આરોપો પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ આરોપ ન તો યોગ્ય છે અને ન તો આ રાજકારણ કરવાનો સમય છે. અરવિંદ કેજરીવાલે અમિત શાહને પત્ર લખીને હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતા પાણીને રોકવા માટે દરમિયાનગીરી કરવા જણાવ્યું હતું. જો આ પત્ર માત્ર રાજકીય ઈરાદાથી લખવામાં આવ્યો હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.
હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાના પ્રશ્ન પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અત્યારે જે પૂર આવ્યું છે તે કુદરતી આફત છે, તેના પર રાજકારણ ન કરવું જોઈએ. પહાડી રાજ્યોમાં જે વરસાદ થયો છે, તેની અસર અચાનક આપણી નદીઓમાં વધી ગઈ છે. યમુનામાં એક લાખ ક્યુસેક પાણી હતું જે બીજા દિવસે અચાનક વધીને 3.70 લાખ ક્યુસેક થઈ ગયું. જ્યાં સુધી પાણી છોડવાની વાત છે, અમે અરવિંદ કેજરીવાલને કહ્યું છે કે અમે બેરેજમાં મર્યાદિત માત્રામાં પાણીને નિયંત્રિત કરી શકીએ છીએ. બેરેજની ક્ષમતા એક લાખ ક્યુસેક પાણીની છે. તેનાથી વધારે જે પણ પાણી હોય તેને રોકવું મુશ્કેલ છે. ત્યાંથી પાણી છોડ્યા બાદ સૌથી પહેલા હરિયાણા જ અસરગ્રસ્ત થયું છે. અમારા કેટલાંક જિલ્લાઓ પછી દિલ્હી આવે છે. અમે પોતે તેનાથી પ્રભાવિત છીએ. તેમણે (અરવિંદ કેજરીવાલ) એ મુદ્દો ન ઉઠાવવો જોઈએ કે ખૂબ પાણી છોડવામાં આવ્યું છે.
બીજી તરફ આ મામલે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે દિલ્હીએ એવા લોકોને વોટ આપ્યો છે જેઓ આજે દિલ્હીની મદદ કરવા તૈયાર નથી. જ્યારે પણ કોઈ આફત આવે છે ત્યારે કામ કરવાને બદલે તેઓ (આપ) કહે છે કે આ કામ ગૃહ મંત્રાલયનું છે, આ એલજીએ કર્યું છે, હરિયાણા પાણી છોડે છે, પરંતુ તેઓ કામ કરતા નથી. તેમના નિવેદનમાં પંજાબ ખોવાઈ જાય છે. કોરોનાના સમયમાં કેન્દ્રએ તેમને ઓક્સિજન તો આપ્યો હતો પરંતુ તેની પાસે ઓક્સિજનના સ્ટોરેજ માટે પૂરતા સાધન ન હતા.
દિલ્હીમાં પૂર માટે કેજરીવાલને જવાબદાર ઠેરવતા કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે આ દોષારોપણના કારણે જ દિલ્હીની જનતાને સહન કરવું પડી રહ્યું છે. અરવિંદ કેજરીવાલજીએ પત્ર લખીને કહ્યું કે હથિનીકુંડમાંથી પાણી છોડવામાં ન આવે. શું હરિયાણાના લોકો ડૂબી જાય ? ત્યાંથી પાણી છોડવાનું હતું અને પાણી આગળ વહી જવાનું હતું. તમે ગટરોની સફાઈ ન કરી હોય, તમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી ન કરો તો તેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.
Advertisement