નવી દિલ્હી: દુનિયાભરના સમાચાર હોય કે દેશની રાજનીતિમાં કોઇ હલચલ કે પછી ગુજરાતના ખુણે ખુણાના સમાચાર, મનોરંજનની દુનિયાથી રમત સુધી તમામ સમાચાર એક જ જગ્યા પર.
Advertisement
Advertisement
સરકારે સંસદના બજેટ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠક બોલાવી છે. બેઠક સંસદ ભવન પરિસરમાં યોજાશે.
ઓરિસ્સાના નબા દાસને તેમના સરકારી ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ
ઓરિસ્સાના ભૂવનેશ્વરમાં રાજ્યપાલ ગણેશી લાલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસને તેમના સરકારી ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ગોળી લાગ્યા બાદ એક ખાનગી હૉસ્પિટલમાં તેમનું મોત થયુ હતુ.
સેન્સેક્સમાં 555 અંકનો કડાકો
બજેટ પહેલા સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 555 અંક તૂટીને 58,775 પર વેપાર કરી રહ્યુ છે.
અદાણી ગ્રુપ તરફથી આરોપોના ખંડન બાદ હિંડેનબર્ગની પ્રતિક્રિયા
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપો પર ગ્રુપ તરફથી મળેલી પ્રતિક્રિચયા બાદ પોતાનો જવાબ આપ્યો છે. હિંડેનબર્ગે કહ્યુ કે અદાણી ગ્રુપે ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારાને ભારતની સફળતા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અમે તેનાથી અસહમત છીએ. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ભારત એક જીવંત લોકતંત્ર અને ઉભરતી મહાશક્તિ છે.
અમદાવાદ આવતી ફ્લાઇટને ઉદયપુરમાં લેન્ડ કરાવાઇ
વિસ્તારા એરલાઇન્સે સૂચના આપી છે કે દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ UK959 (DEL-AMD)ને અમદાવાદ એરપોર્ટ પર ઓછી વિજિબિલિટીને કારણે ઉદયપુર તરફ વાળી દેવામાં આવી છે અને સવારે 9.10 વાગ્યે ઉદયપુર પહોચી હતી.
મહાત્મા ગાંધીની પૃષ્ણતિથિ પર પીએમ નરેન્દ્ર મોદીનું ટ્વીટ
પીએમ નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની પૃષ્ણતિથિ પર તેમણે યાદ કરતા ટ્વીટ કર્યુ કે, “હું બાપુને તેમની પૃણ્યતિથિ પર નમન કરૂ છુ અને તેમના ઉંડા વિચારોને યાદ કરૂ છુ. હું તે તમામને પણ શ્રદ્ધાંજલિ આપુ છુ જે આપણા દેશની સેવામાં શહીદ થયા છે.
दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने राजघाट पहुंच कर महात्मा गांधी को उनकी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/8sjBQMKaFX
— ANI_HindiNews (@AHindinews) January 30, 2023
રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने महात्मा गांधी को उनकी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/mCHps61nok
— ANI_HindiNews (@AHindinews) January 30, 2023
दिल्ली: उपराष्ट्रपति जगदीप धनखड़ ने राजघाट पहुंच कर महात्मा गांधी को उनकी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/2UVh6d1xLf
— ANI_HindiNews (@AHindinews) January 30, 2023
Advertisement