સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નો નફો માર્ચ ક્વાર્ટરમાં 83 ટકા વધીને રુ. 16,694 કરોડ થયો છે. છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં કુલ નફો 59 ટકા વધીને 50,234.45 કરોડ રુપિયા થયો છે.
આ ઉપરાંત એસબીઆઈની ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે માર્ચ ક્વાર્ટરમાં રુ. 31,197 કરોડથી 29.5 ટકા વધીને રુ. 40,392 કરોડ થઈ છે. બેંકનું સ્થાનિક ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) 44 bps વધીને 3.84 ટકા થયું છે.
એસબીઆઈની ગ્રોસ એનપીએ 3.14 ટકાથી ઘટીને 2.78 અને નેટ એનપીએ પણ 0.67 ટકા પણ આવી ગઈ છે. કૃષિ અને કોર્પોરેટ લોનમાં અનુક્રમે 13.31 ટકા અને 12.52 ટકાનો વધારો નોંધાયો છે.
આ સાથે બેન્કના બોર્ડે FY23 માટે ઈક્વિટી શેર દીઠ રુ. 11.30ના ડિવિડન્ડની પણ ભલામણ કરી હતી. બેંકે કહ્યું કે ડિવિડન્ડ 14 જુન 2023ના રોજ ચૂકવવામાં આવશે. દરમિયાન ગુરુવારે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે, એસબીઆઈના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો.
આ દરમિયાન શેર રુ. 575ના સ્તરે ગબડી ગયો હતો શેરે એક વર્ષના ગાળામાં 26 ટકાથી વધુ વળતર આપ્યું છે. જોકે એક વર્ષની તારીખના આધારે વળતર નકારાત્મક ગણી શકાય, તેવું બજારના નિષ્ણાતો માને છે.
Advertisement