રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ ફરી એકવાર રૂ.2000ની નોટ બંધ કરી છે. નવેમ્બર 2016માં બજારમાં આવેલી 2 હજારની નોટ 19મી મે, 2023માં સત્તાવાર રીતે બંધ કરી છે. આ સમાચાર પ્રસરતા જ દરેક જગ્યાએ એક આશ્ચર્ય અને ક્યાંક હાહાકાર તો ક્યાંક હાશકારો જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
જો કે RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે એટલે કે એક વખતમાં માત્ર દસ જ નોટો બદલી શકાશે અને હવેથી બેંકો 2000ની નોટ નહીં મળે. આ અંગે આરબીઆઈએ તેની ગાઈડલાઈનમાં જણાવ્યું હતું કે દેશની તમામ બેંકો 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. આરબીઆઈએ કહ્યું કે 2018-19માં તેમનો ઉદ્દેશ પૂરો થયા બાદ તેનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ પોતાના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે તે 2000ની નોટોને ચલણમાંથી બહાર લઈ રહી છે અને એ માટે કોઈ તારીખ કે સમય આપવામાં આવ્યો નથી. એટલે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
નોટ બદલવા માટે આટલું કરવું પડશે
આ નોટો બેંકમાં જઈને બદલી શકાય છે. આ માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે જેથી કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની બદલવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
30મી સપ્ટેમ્બર પછી 2000ની નોટ એક સામાન્ય કાગળ બની જશે
તારીખ પણ લંબાઈ શકે છે, પરંતુ છેલ્લી તારીખની રાહ જોશો નહીં. જો સરકાર તેને અમાન્ય કરી દેશે તો તમારી પાસે રાખેલી 2000ની નોટોની કોઈ કિંમત રહેશે નહીં.
ભારે હાલાકી અને અરાજ્ક્તા ન થાય તે માટેની વ્યવસ્થા
જેની પાસે 2 હજારની નોટ છે તેણે બેંકમાં જઈને તેને બદલી આપવી પડશે. 2016માં નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી હતી. તેને બદલવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ લાંબી કતારો લાગવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે આ વખતે પણ જોવા મળી શકે છે.
શું છે ક્લિન નોટ પોલીસી ?
રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ અંતર્ગત એ રીતે લીધો છે કે ક્લીન નોટ પોલિસીમાં લોકોને ચલણી નોટો પર કંઈપણ ન લખે કારણ કે આમ કરવાથી તેમનો દેખાવ બગડે છે અને તેમનું જીવન પણ ઘટે છે અને તેને ફરી છાપવામાં સરકારી નાણાં અને ઉર્જાનો દૂર્વ્યય થાય છે. લોકોને વ્યવહારમાં સારી ગુણવત્તાવાળી બેંક નોટો (કાગળનું ચલણ) મળવી જોઈએ તે હેતુને હાંસલ કરવા માટે ક્લીન નોટ પોલિસી લાગુ કરવામાં આવી છે.
હાલમાં અનેક જગ્યાએ નોટબંધીની લોકો પર એક સ્વાભાવિક અસર દેખાઈ રહી છે પરંતુ તેની કાળા નાણાં પર લાંબા ગાળાની શું અસર થશે તે અંગે આર્થિક વિશ્લેષકો તેનું વિશ્લેષણ પછી વધુ ખ્યાલ આવશે.
કોને કોને આની અસર થઈ શકે છે ?
બ્લેક મની સાથે કામ કરનારા તમામ લોકોને મુશ્કેલી આવશે. જેમના મોટા ટ્રાન્સેક્શન છે અને એવા બિલ્ડરો કે જેઓ હજુ પણ 60 ટકા કેશ અને 40 ટકા ચેકથી પૈસા લે છે તેમને તકલીફો આવી શકે છે. જમીનોના મોટા ટ્રાન્સેક્શનમાં આ તકલીફો આવી શકે છે. છતાં ઘણાં લોકો માનસિક રીતે 2000ની નોટથી સાવચેત હતા જ કે ગમે ત્યારે આ નોટ બંધ થશે એટલે તેનો ભરાવો પણ ઓછો કરતાં હતા.
સરકારે પણ ધીમે ધીમે 2000ની નોટો પાછી લીધી હતી જેના કારણે એક વાતાવરણ ઊભું થયું હતું કે વહેલા મોટા આ નોટ બંધ થવાની છે.
Advertisement