વોશિંગ્ટન,
Advertisement
Advertisement
વિશ્વની જાણીતી આઈટી કંપની ઈન્ટરનેશનલ બિઝનેસ મશિન્સ કોર્પોરેશને પોતાની 7800 કર્મચારીઓની ભરતી અટકાવી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી જ કામ ચલાવી લેવાનું નક્કી કર્યું છે એમ સીઈઓ અરવિંદ કૃષ્ણાએ જણાવ્યું હતું.
તો બીજી તરફ જેપી મોર્ગન કંપનીએ પણ મંદીના ઓઠા હેઠળ ત્રણ હજાર કર્મચારીઓની છટણી કરી છે. આમ છ મહિનામાં આઈટી કંપનીઓમાં ઉત્તરોત્તર જોબ્સ કટ ચલી રહ્યા છે.
કૃષ્ણાએ જણાવ્યું હતું કે અમારી બેક ઓફિસના કામ જેવા કે માનવ સંશાધન વગેરે માટે હાલ અમે ભરતી અટકાવી દીધી છે. અમારે ત્યાં લગભગ 30 ટકા નોન કસ્ટમર ફેસિંગ રોલ્સનું સ્થાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લઈ શકે છે અને આગામી વર્ષોમાં આ કામ સ્વચાલિત બની શકે છે.
આજે એઆઈની ચર્ચા સૌથી વધુ ચાલી રહી છે ત્યારે માઈક્રોસોફ્ટ કોર્પે ઓપન એઆઈ, ચેટબોટ, ચેટજીપીટી સૌથી વધુ સક્રિય છે. આ જે ઘટાડો થઈ રહ્યો છે તે ફરીથી ભરાશે નહીં તે પણ નક્કી છે.
ઉપરોક્ત કંપનીઓમાં છટણીનો બીજો રાઉન્ડ હવે યોજાઈ રહ્યો છે. ગત ડિસેમ્બરમાં પણ કંપનીએ કાપ મુક્યો હતો. મોર્ગન સ્ટેન્લીના ચીફ ફાઈનાન્સિયલ શેરોન યેસ્યાએ જણાવ્યું હતું કે તેઓ બજારની અનિશ્ચિતતા અને ફૂગાવાની અનિશ્ચિતતાને કારણે કંપની આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે.
હાલ અમેરિકા અને યુરોપનું વાતાવરણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે કેટલાંક અંશે તણાવગ્રસ્ત છે. આઈટીમાં આવેલા અચાનક બદલાવની સાથે નોકરીઓમાં કોરોના પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે ગંભીર છે અને આ પ્રકારની પરિસ્થિતિ આગામી દિવસોને વધુ વિકટ બનાવી શકે છે.
હાલમાં ગુગલ કંપનીના ડૉ. હિન્ટને ન્યૂ યોર્ક ટાઈમ્સમાં લેખ લખ્યો છે કે આગામી દિવસોમાં એઆઈ માનવ સમાજને નુકસાન કરી શકે છે ત્યારે આ પ્રકારના આઈબીએમના ન્યૂઝથી સોફ્ટવેર જગતમાં નિરાશા વ્યાપી રહી છે. જો કે ડૉ.હિન્ટને ખરાબ કામ કરતાં લોકો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે ચેટબોટ્સ વધારે શક્તિશાળી થઈ રહ્યા છે. તેમના મતે ચેટ જીપીટીનું વર્તમાન વર્ઝન અટકાવી દેવું જોઈએ.
Advertisement