પૂણે: મહારાષ્ટ્રના નાસિકમાં દૂર્ઘટના સર્જાઇ છે. સાઇબાબાના ભક્તોને લઇને જતી બસ ટ્રક સાથે ટકરાતા 10 લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. નાસિક પોલીસે આ ઘટનાની પૃષ્ટી કરી છે. આ દૂર્ઘટના નાસિક-અહેમદનગર રોડ પર સર્જાઇ હતી. મુખ્યમંત્રી કાર્યાલયે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ દૂર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને સરકારી ખર્ચ પર જરૂરી સારવાર પુરી પાડવાના આદેશ આપ્યા છે. દૂર્ઘટનાના સમાચાર મળતા જ મુખ્યમંત્રીએ નાસિકના જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી અને વિસ્તૃત જાણકારી મેળવી હતી. મહત્વપૂર્ણ છે કે બસમાં 45 લોકો સવાર હતા.
બદલાપુર અને તેની આસપાસના વિસ્તારમાં એક પ્રાઇવેટ બસ શ્રદ્ધાળુઓને શિરડીમાં સાઇબાબાના દર્શન કરાવવા માટે લઇ જઇ રહી હતી. આ દૂર્ઘટનામાં 12 મુસાફર ઘાયલ થયા છે જેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે. મૃતકોમાં છ મહિલા અને બે બાળક અને બે પુરૂષ સામેલ છે.
Advertisement