નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બન્ને સદનની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ ભાષણ આપશે. આજે બન્ને સદનમાં આર્થિક સર્વેક્ષણ પણ રજૂ થશે. વડાપ્રધાન મોદી 10.30 વાગ્યે સંસદના ગેટ પર મીડિયા સાથે વાત કરશે. તે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 11 વાગ્યે પોતાના ભાષણ સાથે સત્રની શરૂઆત કરશે. બીઆરએસ આજે રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે.
Advertisement
Advertisement
સત્ર દરમિયાન, સરકારની નજર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર સરળ ચર્ચા પર રહેશે, જ્યારે વિરોધ પક્ષોએ રાજ્યપાલોની કામગીરી, જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા પ્રશ્નો ઉઠાવ્યા છે. કેટલાક રાજ્યોમાં મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાના સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે. સરકાર સત્ર દરમિયાન જ 31 જાન્યુઆરીએ સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે. સોમવારે સર્વપક્ષીય બેઠકમાં, સરકારે સ્પષ્ટ કર્યું કે તે સંસદમાં નિયમો હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને ગૃહને સુચારૂ રીતે ચલાવવા માટે દરેકનો સહયોગ માંગે છે.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, “સરકાર સંસદમાં નિયમો હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, અમે વિપક્ષનો સહયોગ ઈચ્છીએ છીએ.”જોશીએ કહ્યુ કે આ બેઠકમાં 27 રાજકીય દળોના 37 નેતાઓએ ભાગ લીધો હતો. સૂત્રોએ જણાવ્યુ કે બેઠકમાં ટીઆરએસ અને DMK જેવા દળોએ વિપક્ષ શાસન ધરાવતા રાજ્યમાં રાજ્યપાલના વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો હતો.
Advertisement