નવી દિલ્હી: સંસદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2.0નું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બજેટમાં ગામ, ગરીબ અને ખેડૂતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, તેમણે કહ્યુ કે આ બજેટમાં મિડલ ક્લાસનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, આ બજેટથી વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ થશે.
Advertisement
Advertisement
વિકસિત ભારત માટે મજબૂત પાયો તૈયાર કરશે આ બજેટ- પીએમ મોદી
બજેટ 2023 પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અમૃતકાળનું પ્રથમ બજેટ વિકસિત ભારત માટે એક મજબૂત પાયો બનાવશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂત સહિત મહત્વાકાંક્ષી સમાજના સપનાને પૂર્ણ કરશે.
મહિલાઓને વધુ તાકાતથી આગળ વધારવામાં આવશે- વડાપ્રધાન મોદી
બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ બજેટમાં પ્રથમ વખત અનેક પ્રોત્સાહન યોજનાઓ આવી છે. વિકાસ યોજનાથી કરોડો વિશ્વકર્માઓના જીવનમાં ઘણો મોટો બદલાવ આવશે. ગામથી લઇને શહેર સુધી રહેનારી મહિલાઓના જીવન સ્તરમાં બદલાવ લાવવા માટે કેટલાક પગલા ભરવામાં આવ્યા છે, તેમણે હવે વધુ તાકાત સાથે આગળ વધારવામાં આવશે.
મનોહર લાલ ખટ્ટરે બજેટને ક્રાંતિકારી ગણાવ્યું
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે આજે રજૂ કરવામાં આવેલુ બજેટ અમૃતકાળનો પ્રથમ અને ક્રાંતિકારી બજેટ છે, જેમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવે છે, જેનાથી યુવા, મહિલા, ખેડૂત અને મજૂર સહિત તમામ વર્ગોને ફાયદો થશે.
બજેટમાં મહિલાઓ માટે સમ્માન વધ્યુ-સ્મૃતિ ઇરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે આ બજેટમાં મહિલાઓ માટે સમ્માન વધ્યુ છે, તેમણે કહ્યુ કે નાણા મંત્રીએ મહિલાઓના સમ્માનમાં નવા બચત વિકલ્પોની જાહેરાત કરી છે. આજનું બજેટ બતાવે છે કે કેવી રીતે નારી શક્તિ એક દેશને મજબૂત બનાવી શકે છે, તેમણે બાળકો માટે નેશનલ ડિઝિટલ લાઇબ્રેરીની જાહેરાતનું સ્વાગત કર્યુ હતુ.
અખિલેશ-માયાવતીએ શું કહ્યું?
અખિલેશ યાદવે કહ્યું કે- બજેટથી જનતાની આશાની જગ્યાએ નિરાશા મળી છે જ્યારે માયાવતીએ કહ્યું કે- બજેટમાં કઇ પણ નવુ નથઈ, પાર્ટીથી વધુ દેશ માટે બજેત હોત તો સારૂ રહેત.
રાજનાથ સિંહે બજેટ પર શું પ્રતિક્રિયા આપી?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર લખ્યુ કે ટેક્સમાં સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ ના લગાવવુ અને બીજા ટેક્સ સુધારાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે, તેમણે લોકોના હિતમાં આ નિર્ણય લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો છે.
બજેટમાં સારી વસ્તુ થઇ- શશિ થરૂર
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે તેમાં કેટલીક વસ્તુ સારી છે પરંતુ મનરેગા, ગરીબ ગ્રામીણ મજૂર, રોજગાર અને મોંઘવારીનો ઉલ્લેખ નથી. કેટલાક જરૂરી સવાલના જવાબ મળ્યા નથી.
મહેબૂબા મુફ્તીએ બજેટ પર આપી પ્રતિક્રિયા
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “આ બજેટ છેલ્લા 8-9 વર્ષથી આવી રહેલા બજેટ જેવુ જ છે. જેમાં ટેક્સ વધ્યુ છે, કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી પર પૈસા ખર્ચ કરવામાં નથી આવી રહ્યા. મોટા ઉદ્યોગપતિ અને ક્રોની કેપિટલિસ્ટ માટે ટેક્સ ભેગુ કરવામાં આવી રહ્યું છે. ટેક્સથી લોકોને ફાયદો થવો જોઇએ પરંતુ આ તેમની કમર તોડી રહ્યું છે.”
સાંસદ ડિમ્પલ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે, આ ચૂંટણી બજેટ છે, ખેડૂતો માટે કઇ નથી. ખેડૂતોની MSPની વાત નથી, રેલ્વેને પુરી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યું છે. અડધાથી વધુ વસ્તુ ગામમાં વસે છે પરંતુ તેમના માટે કઇ નથી. આ નિરાશાજનક બજેટ છે.
RJD સાંસદ મનોજ ઝાએ શું કહ્યું?
RJD સાંસદ મનોજ ઝાએ કહ્યું, મે નાણામંત્રીને કેટલીક વખત કહ્યું કે જ્યારે પણ બજેટ બનાવો તો કલમ 39ને જોઇ લો. બંધારણથી આંખો ફેરવીને સ્તુતિ ગાન વાળુ બજેટ બનાવે છે તો કઇ નહી મળે. રોજગાર માટે તમે ગોળ ગોળ વાતો કરી. આ બજેટ ખાસ લોકોના ખાસ લોકો દ્વારા ખાસ રીતે બનાવેલુ બજેટ છે.
કેન્દ્રીય મંત્રી વીકે સિંહે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે, ગત બજેટનો આધાર લઇને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અંદર આગામી 25 વર્ષ માટે ભારત કેવી રીતે આગળ વધે તેનો પાયો રાખવામાં આવ્યો છે.
Advertisement